પોસ્ટ્સ

2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રહેં ન રહેં હમ , મહેકા કરેંગે .....

છબી
ગર ફિરદૌસ બર રૂએ ઝમીં અસ્ત , હમી અસ્તો હમી અસ્તો હમી અસ્તો। અગર પૃથ્વી પર જન્નત હોય તો એ અહીં જ છે , અહીં છે અહીં જ છે.  કાશ્મીર જોઈને વારી જનાર જહાંગીરે આ શબ્દો કહ્યા હતા.પણ, જો જહાંગીરે કેનેડાનું વિક્ટોરિયા જોયું હોત તો શક્ય છે મુઘલ સામ્રાજ્યના પાયા ત્યાં પણ નાખ્યા હોત. બ્રિટિશ કોલમ્બિયાનું એક ભાગ એવું  આ એક જ શહેર એવું છે કે શિયાળામાં આખું કેનેડા જયારે ઠરી જતું હોય ત્યારે સરખામણીમાં થોડું હૂંફાળું રહે છે. એ જ કારણ છે દરિયાના બિલોરી કાચ જેવા પાણી અને પ્રદૂષણ  વિનાના નીલા આસમાનની વચ્ચે બેઠેલું અસાધારણરીતે ખૂબસૂરત એવું આ ફૂલનગર , ગાર્ડન સિટી છે. એક બે પાંચ નહીં 70 મહાકાય ગાર્ડન છે એક નાના અમસ્તા શહેરમાં. અલબત્ત, નાનું શહેર આપણા જેવા ભારતીયોને લાગે ત્યાંના લોકો માટે તો એ દમદાર મોટું શહેર છે. મોટું એટલે ? 20 કિલોમીટરમાં પથરાયેલું , જ્યાં માત્રને માત્ર વસ્તી છે નવપરણિત કે પછી વૃદ્ધોની , એવા સિટિઝનનું આ શાંત , રમણીય શહેર એટલું સુંદર છે કે 70થી વધુ ગાર્ડનઉપરાંત  બાકી હોય તેમ જ્યાં જુઓ ત્યાંથી દરિયાનો વ્યુ મળે. જોગિંગ ટ્રેક, સાઇકલ ટ્રેક , વ્યવસ્થિત ટ્રાફિક ને જ્યાં જુઓ ત્યાં જોવા મ

સફર હવાઈ કિલ્લા થી ગોબીના રણની

છબી
કરીબ કરીબ સિંગલ : સફર હવાઈ કિલ્લા થી  ગોબીના રણની સામાન્યરીતે ફિલ્મ વિષે  ત્યારે લખાય જયારે એ આવવાની હોય , ફિલ્મ આવી ગઈ હોય , વર્ષ વીતી ગયું હોય , ભુલાઈ પણ ચૂકી હોય ત્યારે એ વિષે લખવું નરી મૂર્ખતા જ કહેવાય. પણ , કરીબ કરીબ સિંગલ વિષે એવું કહેવું જરા અયોગ્ય તો ખરું. આવી ફિલ્મો જોઈએ ત્યારે લાગે કે ઓત્તારીની, આ તો તેરી મેરી કહાની હૈ જેવી વાત છે છતાં એ ફિલ્મો સુપર ફ્લોપ થાય. કારણ ? કારણ તેરી મેરી કહાની વાળો ક્લાસ કેટલો ? અલબત્ત આ ફિલ્મ ફ્લોપ હતી કે હિટ મને નથી ખબર પણ, એના વિષે ગુબ્બારા નહોતા ચગ્યા એટલે ધારી લીધું કે નહીં ચાલી હોય. હવે સારી ફિલ્મો ભલે બોક્સ ઓફિસની દ્રષ્ટિએ સફળ ન હોય પણ એ એના ચાહકો પાસે પહોંચી જાય છે ખરી થેન્ક્સ ટુ નેટફ્લિક્સ એન્ડ એમેઝોન પ્રાઈમ .  એક બોઝિલ સાંજ હતી , મૂડ બેરંગ હતો. મિત્રો સાથે વાત કરવા માટે બિલકુલ અયોગ્ય સમય. થયું કે એક ફિલ્મ જોઈ નાખવી, બોલીવુડ ફિલ્મોની એક વાત માનવી પડે , એ મૂડની મરમ્મ્ત તો બેશક  કરી આપે. નેટફ્લિક્સ પર ન્યુ અરાઈવલમાં ઈરફાન સાથે એક ફ્રેશ ચહેરો જોયો. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પાર્વતી અને ઈરફાનની માંદગી પછી એની કિંમત બેશક વધુ અંકાવા લા

રાણીની વાવ

છબી
રૂપિયા 100ની નવી નોટ પર શું સ્થાન મળ્યું , રાણીની વાવ તો એકદમ છવાઈ ગઈ. વાસ્તવિકતા એ છે કે ભારતીય સ્થાપત્યના અનેક નમૂના સામાન્ય ભારતથી અજાણ છે , એવું જ છે આ વાવનું  . વર્ષો પૂર્વે પાટણની મુલાકાતે જવાનો પ્રસંગ બન્યો હતો ત્યારે જોયેલી વાવ અચાનક મન પર તાજી થઇ. સ્મૃતિ એકદમ તાજી તો નથી પણ થોડા ફોટોગ્રાફ્સ ને થોડી સંઘરાયેલી માહિતી સાથે બાકીનું કામ મિત્ર ગૂગલે કર્યું  . સરસ્વતી નદીના ઇનારે આવેલી વાવ જોવા ગયા ત્યારે ત્યાં નદી હતી કે નહીં એ પણ યાદ નથી. 11મી સદીમાં નિર્માણ થયેલી વાવ વિષે નાનપણમાં ઘણું સાંભળ્યું હતું. ગુજરાત રાજ્યના અભ્યાસક્રમ પ્રમાણે પાંચમા ધોરણના ઇતિહાસના પુસ્તકના છેલ્લે પાને આ વાવનો ફોટો છપાયેલો હતો એ ઘણાંને યાદ હશે.2014માં UNESCO દ્વારા એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે 11મી સદીમાં એવી સ્થાપત્યકળા હતી જેના આધારે સાત સ્તરમાં વહેંચાયેલી આ મારુ ગુર્જર શૈલીની આ વાવમાં 500થી વધુ અલભ્ય એવી કોતરણીવાળા શિલ્પ હતા. રાણીની વાવ , રાણકી વાવ નામે ઓળખાતી આ વાવ ચાલુક્ય સામ્રાજ્યના કાળમાં બંધાઈ હોવાનું મનાય છે. જૈન મુનિ મેરુ સુરીએ લખેલા ગ્રંથ પ્રબંધ ચિંત

પથ્થરમાં કોતરાયેલી કવિતા : નલિનીગુલ્મ

છબી
बिन पीयां या जाणियै, किसो गंगजळ नीर। बिन जीयां या जाणियै, किसड़ो भोजन खीर।। વિના પીએ કેમ જાણી શકાય કે ગંગાજળ શું છે ? વિના ખાધે કેમ કહી શકાય કે ખીર કેવી હોય છે ?  એ જ રીતે કહી શકાય કે રાણકપુર ન જોયું હોય તો  સ્થાપત્ય શું છે  ? આજથી લગભગ છ સદી  પૂર્વે એટલે કે 1437માં નિર્માણાધીન થયેલું રાણકપુરનું જૈન દહેરાસર આજે વિદેશી ટુરિસ્ટની મસ્ટ વૉચ લિસ્ટમાં મોખરે હોય છે.   એવું તો ખાસ શું છે આ દહેરાસરમાં  ?   1439  મનાય છે નિર્માણ શરુ થવાનું વર્ષ પણ એમાં થોડા મતભેદ છે. એક મત છે જે 14મી સદીમાં આ ભવ્ય સ્થાપત્ય નિર્માણ થયું એમ માને છે બીજો મત છે જે પંદરમી સદી લેખે છે. સદી ગમે એ હોય પણ પ્રથમ તીર્થંકર આદિનાથ માટે બનેલું આ દહેરાસર , કલાકારીગીરીનો એક ઉત્કૃષ્ટ નમૂનો તો છે એમાં કોઈ બેમત નથી.  એક એવું સ્થાપત્ય જેનો આકાર છે,અવકાશયાન, એટલે કે સ્પેસશીપ જેવો. તે પણ સીધીસરળ સ્પેસશિપ નહીં  ત્રિમંજ઼િલ અવકાશયાન જેવો. હેરત પમાડે એવી વાત છે , જયારે રોકેટ સાયન્સ ટેક્નોલોજીનો વિચાર સુધ્ધાં નહોતો વિકસ્યો એ સમયે આવી કલ્પના કરવી એ વાત જ ન માનવામાં આવે એવી છે. એ માટે આધાર હતો એક જૈન શ્રેષ્ઠિને આવેલા

મગજમાં છે કેમિકલ લોચા

છબી
થોડાં સમય પહેલાં એક મૂવી જોયું હતું.  The last witch hunter. મૂવી તો જાણે હતું જ ફ્લોપ પણ,    એની સ્ટોરી લાઈન વાંચી ત્યારથી જોવું એમ નક્કી કરેલું. ફિલ્મ છે નામ પ્રમાણે એક witch hunter પર, જે માનવજાતને કનડતી દુષ્ટ આત્માનો નાશ કરે છે.  ભલભલા દુષ્ટ આત્મા જેર થઈ જાય છે. રહી છે એક માથાભારે ડાકણ (અલબત્ત, આ શબ્દ વાપરવો ખૂંચે છે). આ આત્મા માણસજાતનો નાશ કરવા યુધ્ધે ચડી છે. પણ, એવું તો શું વેર છે એ પ્રશ્નનો જવાબ જાણ્યા પછી ડાકણ આપણી હીરોઈન બની જાય છે.   ડાકણ માનવજાતને ધિક્કારવાનું કારણ છે માણસજાતનો કુદરત પ્રત્યેનો દુર્વ્યવહાર. જંગલનો વિનાશ. વાતાવરણનો વિનાશ.વિકાસ ને સંસ્કૃતિને નામે જંગલ સફાચટ કરનારને પરલોક પહોંડવાની જવાબદારી પોતાની સમજે છે.  જોવાની ખૂબી એ છે કે લડત છે પર્યાવરણ બચાવવા માટે. હીરો વિધ્વંસકારી માનવજાતને બચાવવા લડે છે ને પર્યાવરણ માટે મેદાને પડેલી 'Witch' ને ઠેકાણે પાડે છે.  એ જોઈને દિલમાં ભારે  ચચરાટ થયો ત્યારે મિત્રે કહયું કે, ઠીક હવે, આમ પણ પર્યાવરણની વાતો જગતમાં રહેલા 0.0000001 % લોકો કરતાં હશે.  ને તું એમાંની એક હોય તો what you need is a good psychi

સ્લીપિંગ ડ્રેગોનને હલો તો કહેવું પડે ....

છબી
1969 ટાપુના સમૂહમાં ક્યા ટાપુ પર જવું ને શું કરવું ? વિયેતનામ જવાનું થાય તો ખબર પડે કે આ દેશમાં સ્થિતિ નોર્થ કોરિયા સાઉથ કોરિયા જેવી છે. બિલકુલ વિરોધાભાસી ક્લચર , વિચારધારા, ખાણીપીણી  . જો એક કોઈ સામ્યતા હોય તો એ કે નોર્થ ને સાઉથ વિયેતનામ બંને પ્રજા પોતાની સરકાર માટે અતિશય નીચો મત ધરાવે છે  . સરકાર તમારે માટે શું કરે છે એવું વિચારવાને બદલે તમે સરકાર માટે શું કરો છે એવું લિંકનકથન આ પ્રજાએ સાંભળ્યું નથી. પણ, સાચી વાત છે , શું કામ સાંભળે ? એક સમયે ચીનમાં હતી તેવી સખ્ત સમાજવાદી વ્યવસ્થા સાઉથ વિયેતનામમાં છે. પણ નોર્થ  વિયેતનામ કદાચ એની પર પશ્ચિમી જગતની અને ખાસ કરીને સામ્યવાદમુક્ત ચીનનો પ્રભાવ વધુ છે.  કદાચ એટલે જ વિયેતનામના હો ચી મીન  કરતાં હેનોઈમાં ટુરિસ્ટ વધુ દેખાય છે.  હનોઈ આમ તો છે કોઈ કેપિટલ સીટી હોય એવું જ શુષ્ક ને ઠીક ઠીક પણ એના પેગોડા , ને બજાર પ્રમાણમાં ઘણાં સારા  . હેનોઈનું જો કોઈ મુખ્ય આકર્ષણ હોય તો એ છે હૅલોન્ગ બે કે પછી સ્થાનિક પ્રજાની જેમ ઉચ્ચાર કરવો હોય તો હા લોન્ગ બે , હા એકદમ લંબાવીને ગાતાં હોઈએ એમ બોલવાનો  . જો કે આ પ્રજાની ભાષા ,બોલી સાંભળીયે તો સામાન્ય વાતચ

અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?

છબી
અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?  યાદ છે વર્ષો પૂર્વે આવેલી એન્જેલિના  જોલીની ફિલ્મ ટુમ્બ રેઇડર ? એન્જેલિના જોલી જે પોતાના ગુમાયેલા પિતાની શોધમાં જાપાન પાસે આવેલા એક રહસ્યમય ટાપુ પર પહોંચી જાય છે. આ ટાપુએ ભલભલાને મોહિત કરી નાખ્યા હતા ત્યારે નામ ઉજાગર થયું અંગકોર વાટનું . અલબત્ત , હિસ્ટ્રી ને આર્કિયોલોજીના ચાહકો માટે આ નામ ક્યારેય અજાણ્યું નહોતું પણ એને એક નવી ઊંચાઈ મળી આ ફિલ્મથી  . દર વર્ષે પચાસ લાખથી વધુ ટુરિસ્ટ અહીં આવે છે.  ફિલ્મમાં જોઈને અચંબિત થઈ બેસી રહેવા જેવું આ ટેમ્પલ કોમ્પ્લેક્સ નથી. પૈસા ને સમય બંનેની સુવિધા હોય તો એક અઠવાડિયું પણ ઓછું પડે એવું રહસ્યમય છે આ સ્થાપત્ય  . કંબોડિયા જેને માટે પ્રસિદ્ધ છે તે અંગકોર વાટ મંદિરમાં મંદિર તો 100થી વધુ છે  મુખ્ય ત્રણ મંદિર છે વિષ્ણુ , બ્રહ્મા સરસ્વતી ને શિવના  . સૌથી મોટું પ્રભાવશાળી મંદિર  તો વિષ્ણુનું છે.  એ સિવાય તો ઘણા મંદિર છે , મંદિરની પરિસરમાં થયેલા કોતરણીકામમાં હનુમાન , કુબેર, રામાયણ, મહાભારતના પ્રસંગોથી લઈને સમુદ્રમંથન અને રાજવી સૂર્યવર્મનની પ્રતિમા પણ છે.  એક આખેઆખું ટેમ્પલ કોમ્પ્લેક્સ જે 11મી સદીમ

મહાભારત યુદ્ધ શ્રી કૃષ્ણ ટાળી શક્યા હોતે? તો એમને એમ કર્યું કેમ નહીં ?

છબી
બાળપણથી આ શ્લોક સાંભળતા રહ્યા હોવા છતાં એની પાછળની ભાવના ક્યારેય સમજાઈ  છે ? શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન હતા છતાં એમને મહાભારત થતું રોક્યું કેમ નહીં ? આ પ્રશ્ન વિષેની જિજ્ઞાસા શમી ન હોય તો ફરી એકવાર મહાભારત વાંચવું પડે. જે નિર્મિત છે તે થઈને જ રહે છે. ભૂતકાળની છાયા ભાવિ પર પડે અને તેનાથી પ્રજા કશુંક પામે , કંઈક બોધ પામે એવા કોઈ ઉદ્દેશથી એક મહાભારત માત્ર યુદ્ધકથા નથી , સમજો તો બોધકથા છે. અત્યાર સુધી મહાભારતને કાલ્પનિક પણ લેખાવનાર બૌધિકો છે. હવે એ મત પર પરદો પડ્યો છે નવા સંશોધનથી, મહાભારત સાથે જોડાયેલી ભગવદ ગીતા હવે વિદેશોમાં એક કોર્સ તરીકે ભણાવાય છે , કર્મયોગ ફિલોસોફી તરીકે અને એ ભગવદ ગીતાના ભૂમિ છે કુરુક્ષેત્ર , જ્યાં મહાભારત યુદ્ધ થયું , જ્યાં શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાજ્ઞાન  આપ્યું . કુરુક્ષેત્ર નવી દિલ્હીથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે અને ચંદીગઢથી આશરે 80 કિમી દૂર. પુરાણો પ્રમાણે, કુરુક્ષેત્ર એ મહાકાવ્ય મહાભારતમાં દર્શાવ્યા પ્રમાણે, કૌરવો અને પાંડવોના પૂર્વજ રાજા કુરુ નામના પ્રદેશ છે. આ સ્થળનું મહત્વ  જ એ છે  કે  કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ રહે છે  આ જમીન પર લડ્યા હતા અ