કૈલાસ મંદિર : નિર્માણ કરાવનાર કોણ ? માનવી કે પછી કોઈ પરગ્રહવાસી ?
આખું મંદિર અંગ્રેજી U શેપમાં બન્યું છે. જે કઈ રીતે નિર્માણ પામ્યું તે વાત જ કોયડો છે. ઇમેજ : ગૂગલ તમને કોઈ વ્યક્તિ એવી મળી છે જેને ઇજિપ્તના પિરામિડ કે ગુમાયેલા એટ્લાંટિસ કે પછી બર્મ્યુડા ટ્રાયેન્ગલ વિશેના રહસ્ય જાણવા વિષે રસ ન પડ્યો હોય ? એવી જ એક મિસ્ટ્રી છે ઈલોરાનું કૈલાસ મંદિર. જે દેશી વિદેશીઓને માટે જબરું આકર્ષણ જન્માવે છે પણ ખબર નહીં કેમ આ મંદિર કોણાર્કના સૂર્યમંદિર જેવી પ્રસિદ્ધિ મેળવી શકવામાં નાકામ રહ્યું છે. એ મંદિરની જાજરમાન રચના ન તો શબ્દોથી વર્ણવી શકાય ન પિક્ચરથી. એ માટે પોતાની આંખ જ જોઈએ. બે લાખ ટન વજનની એક શિલામાં કોતરાયેલું આ મંદિર વિશ્વમાં અજોડ તો ખરું જ ,પ્રાચીન સ્થાપત્યમાં પણ અજોડ છે. દુર્ભાગ્યની વાત એ છે કે વિશ્વની અજાયબીમાં તેને સ્થાન મળ્યું નથી. આજે જયારે આપણે નેનો ટેક્નોલોજી સુધી પહોંચી ગયા છીએ ત્યારે પણ આ સ્થાપત્ય કઈ રીતે આકાર પામ્યું હશે તે કલ્પના હેરત પમાડે છે. એટલે સાચે પ્રશ્ન થાય કે આ મંદિરના નિર્માતા કોણ હશે ? રાજવીઓ ? એટલે કે માણસજાતિ ? કે પછી પરગ્રહવાસીઓ ? એ પ્રશ્ન એટલા માટે થાય કારણકે આ મંદિરમાં નથી વપરાયા પથ્થર , ઈંટ ,સિમેન્ટ ... આ મંદિર આખેઆખુ