વક્ત બડા બલવાન !!
બે દિવસથી અનુરાગ કશ્યપ ને તાપસી પન્નુની ફિલ્મ દોબારા ટ્રોલ થઇ રહી છે. સ્પેનિશ ફિલ્મ મિરાજની રીમેક એવી આ દોબારા ખરેખર તો આવી ને જતી રહી હોત તો જાણ સુધ્ધાં થાત નહીં , પણ તાપસી ને અનુરાગ ને થયું લાવો જરા ટ્રોલ ટ્રોલ રમીયે . જો ફિલ્મ થિયેટરમાં ન ઉપડે તો OTT પ્લેટફોર્મ પર તો કંઈ ઉકાળે ... એટલે તાપસી ને અનુરાગે જાહેરમાં કહ્યું પ્લીઝ અમારો પણ બોયકોટ કરો ને , અમે રહી ન જવા જોઈએ. દાઢમાં બોલાયેલી આ વાત રસિકોએ માની લીધી . થિયેટરમાં કાગડો સુધ્ધાં ન ફરક્યો ને શોઝ કેન્સલ કરવા પડ્યા. એટલે પેલો અર્જુન કપૂર બોલ્યો ( એ કોણ એવું ન પૂછશો ) કે અમારી સહનશક્તિની પરીક્ષા ન લેશો. અમે ચૂપ રહ્યા એ અમારી ભૂલ છે. લો બોલો. SRK રહ્યો વ્યવહારુ બિઝનેસમેન . એની આવી રહેલી 'પઠાણ' માટે પાણી પહેલાં પાળ બાંધે તેવો. એને કહ્યું કે આપણે ફિલ્મમેકરે ઓડિયન્સને ગંભીરતાપૂર્વક લેવું જોઈએ. આમ તો વાત વિચારવા કે લખવા જેવી હરગીઝ ન કહેવાય પણ છેલ્લા થોડાં દિવસથી સોશિયલ મીડિયા પર જે ઉપાડો ચાલ્યો એટલે થયું આચમન કરી લેવા જેવું ખરું. આમીરખાનની બહુ ગાજેલી લાલસિંહ ચઢ્ઢાના બોયકોટની વાત જૂની થઇ ગઈ. ગુજરાતીમાં એક કહેવત છે કે અભિમાન