Posts

Showing posts with the label # India

વાત બે તાજ વચ્ચે કુરબાન થયેલી એક પ્રિન્સેસની

Image
આજનું મુંબઈ,400 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી કે એ એક મહાનગર હશે.  દર વર્ષે જૂન મહિનો આવે તે પહેલા માત્ર BMC જ નહીં તમામ મુંબઈકર પણ સજ્જ થઇ જાય. ખાસ કરીને રોજ નોકરીધંધા માટે પરામાંથી મુંબઈ આવતા કે કામકાજ માટે સબર્બ માં જનાર મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજથી ખોફ ખાતા હોય છે. પ્રશ્ન એ થાય છે કે આજે આટલા વર્ષે પણ મુંબઈ કેમ દોહ્યલું છે? આટલા વર્ષ એટલે ? આજે મુંબઈને મુંબઈ બનવાની 361મી વર્ષગાંઠ છે. 21 મે 1662 , આ દિવસ જયારે પોર્ટુગલની રાજકુમારી કેથરીન ઓફ બ્રિગેન્ઝાને બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીય સાથે લગ્નમાં મુંબઈના ટાપુ કરિયાવરમાં આપવામાં આવ્યા.  મુંબઈ મુંબઈ  તો પછી બન્યું પહેલા તો હતો એક ટાપુનો સમૂહ. 23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા  . એ તો સહુને ખબર છે કે મુંબઈને મુંબઈ બનાવનાર હતા અંગ્રેજ. પણ એવું નહોતું કે આ પ્રદેશનું અસ્તિત્વ નહોતું.  અંગ્રેજો પહેલા જો કોઈ પશ્ચિમી પ્રજા આવી હોય તો તે હતા પોર્ટુગીઝ , એ વાત તો સહુ જાણે છે. ઈ.સ 1499માં વાસ્કો ડી ...

લૂક લંડન , ટોક ટોકિયો

Image
 પહેલગામ અટેક પછી જો સૌથી વ્યસ્ત કોઈ થઇ ગયું હોય તો તે છે નવરીબજાર . પ્રધાનમંત્રીએ શું કરવું , ગૃહમંત્રીએ શું કરવું. આ ચૂક કેમ થઇ ? કોનાથી થઇ ? એ માટે કઈ એજન્સી જવાબદાર છે , તેની ખેર ન રહેવી જોઈએ. જેટલા મોઢા એટલી વાતો હોય સ્વાભાવિક છે. ઘટના પણ એવી હતી કે અબાલવૃદ્ધ કોઈનું પણ લોહી ઉકળી જાય. પણ, જેટલો વધુ આક્રોશ એટલી વધુ ભાવાત્મકતા. જરૂરી તો એ છે કે આવા સમયે સાનભાન ઠેકાણે રાખવા જરૂરી હોય છે.   એમાં વાંક કોઈનો નથી. અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે કે ભારત પાકિસ્તાન વચ્ચે આ વિવાદ 1500 વર્ષથી ચાલે છે. તેથી એમાં અમે વચ્ચે પાડવા નથી માંગતા. મિસ્ટર પ્રેસિડન્ટ ને એમ હશે કે આ પણ યેરૂસલેમ જેવો મામલો હશે , હિસ્ટ્રી માટે સાહેબ પોડકાસ્ટ પરથી જ્ઞાન લઇ લેતા હોવા જોઈએ. પ્રેસિડન્ટ કક્ષાના માણસ આવા બફાટ કરે તો સામાન્ય નાગરિક તો બેફામ બફાટ કરવાનો અધિકાર અબાધિત જ કહેવાય ને.   કાલે સોશિયલ મીડિયા પર એવી રણભેરી વાગતી હતી કે સિંધુ સંધિને તોડી નાખીને પાણી પુરવઠો સમૂળગો  બંધ કરી દેવાશે. જેથી  પાકિસ્તાનના પંજાબના ખેતરોનો પાક ઉભો ઉભો સળગી જશે ,લોકોને પાણીનું ટીપું નહીં મળે...

....ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો ..

Image
હિમાચ્છાદિત શિખર, નિર્મળ પાણી , બર્ફીલા પવન અને મહેકતી વનરાજી મંત્રમુગ્ધ કરી દે તેવી ગુરેઝ વેલી  અમારું છેલ્લું ડેસ્ટિનેશન હતું ગુરેઝ વેલી.  આ એવી જગ્યા છે જે કાશ્મીર જતાં મોટાભાગના ટુરિસ્ટની નજર બહાર છે.  વર્ષોથી આ જગ્યા વિષે ઘણું બધું સાંભળ્યું હતું ત્યાં ખરેખર જવાનું છે તે વાત જ પહેલા તો માનવામાં ન આવી. તેના કારણ હતા. આ ગુરેઝ વિષે ઘણી રોચક કહાણીઓ 96ની વિઝીટ વખતે સાંભળી હતી. ત્યારે બકેટ લિસ્ટ જેવો અભિગમ અસ્તિત્વમાં નહોતો છતાં ત્યારથી મનના  કોઈ ખૂણે આ નામ ધરબાઈ રહ્યું હતું. ગુરેઝ વેલી પ્રદેશ એટલે આધુનિક દુનિયાની અંધાધૂંધીથી અલાયદું, અસ્પૃશ્ય એવું મંત્રમુગ્ધ કરી નાખે તેવું સ્વર્ગ, જે  હિમાલયના હિમાચ્છાદિત શિખરોથી ઘેરાઈને કિશનગંગા નદીના બર્ફીલા પાણીથી જીવંત, અદ્ભૂત લેન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ખીણના લીલાછમ ઘાસના મેદાનો, પ્રાચીન કિલ્લાઓ અને મોહક ગામડાઓ જુઓ તો તમને લાગે કે તમે ટાઈમ ટ્રાવેલ કરીને એવા યુગમાં પહોંચી ગયા છો જયારે પૃથ્વી અને સ્વર્ગ એકસમાન હતા. આવું વર્ણન જયારે સાંભળ્યું હતું ત્યારે અહીં જવા માટે કોઈ સ્કોપ નહોતો કારણ...

પંછી નદિયા પવન કે ઝોંકે ...કોઈ સરહદ ના ઇન્હેં રોકે...

Image
નદી છે એક જ. ભારતીય નામ કિશનગંગા જે પાકિસ્તાન માટે નીલમ છે. આપણે ત્યાં ને સામે પાર વસેલા બંને ગામનું નામ કેરન છે.  કુપવાડા નૌતુસા ગામના રેશવારી ગેસ્ટ હાઉસમાં અમારે ચાર દિવસ રહેવાનું હતું. કારણ કે ત્યાંથી અમારે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલા ગામની મુલાકાત લેવાની હતી. તેમાં એક હતું કેરન વેલીનું છેલ્લું ગામ કેરન. ભારત પાકિસ્તાન સીમા પર આવતું ભારતની છેલ્લી વસાહત. જે વસ્યું છે કિશનગંગા નદી પર. એ ઓળંગી ને સામે પાર જાવ તો પહોંચો કેરન ગામ જ, પણ પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર (POK) કેરનમાં. એ વસ્યું છે નીલમ નદીના કાંઠે.  એવું મનાય છે કે 10મી સદીમાં રાજા કરણે આ નગર વસાવ્યું હતું. ખાસ ઐતિહાસિક માહિતી મળતી નથી પણ સિલ્કરુટમાં અત્યંત મહત્વનું નગર હતું તેવો ઉલ્લેખ મળે છે. એટલે સ્વાભાવિક છે કે નગર સમૃદ્ધ જ હોવાનું. આ વિસ્તારમાં ઘણી વિદ્યાપીઠનો ઉલ્લેખ મળે છે. શારદાનગરી હોવાથી શિક્ષણ અને વેપાર વાણિજ્ય બંને વિકસિત થયા હોય તો તે સમૃદ્ધ જ હોય ને.  પણ, અત્યારે સુષુપ્તાવસ્થામાં છે.  તેનું કારણ છે એક સમયે થયેલું સીમાપારથી બેસુમાર બોમ્બિંગ, ઘૂસપેઠ ,ત્રાસવાદી તત્વોની કનડગત. સમય એવો આવ્યો ક...

ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ નેશનલ પાર્ક

Image
             Pic by Kaushik Ghelani  થોડાં વર્ષ પહેલાં એક ફિલ્મ જોઈ હતી: કાલ. અજય દેવગણ અને  મોટી સ્ટારકાસ્ટની આ ફિલ્મ આમ તો ભૂતકથા હતી. બોક્સઓફિસ પર એવી સફળ  નહોતી થઇ ,પણ એમાં દર્શાવાયેલું જંગલ મનમાં રહી ગયું હતું.  મનમાં વર્ષોથી રમી રહેલા કોર્બેટ પાર્ક માટે જયારે વિચારવા માંડ્યું ત્યારે મિત્રોની સલાહસૂચન શરુ થઇ ગયા.  'ત્યાં જવાય જ નહીં. ત્યાં વાઘ તો દેખાતાં  જ નથી. એના કરતાં રણથંભોર વધુ બહેતર .. ' 'કેટલું દૂર, દિલ્હીથી છ સાત કલાક ...ન જવાય ..' કોઈકે તો ઠંડીનું કારણ આપ્યું કોઈકે અન્ય બીજા કારણો ને ડેસ્ટિનેશન સૂચવ્યા. પણ, મનમાં નક્કી કરી રાખ્યું હતું કે આ વખતે તો કોર્બેટ પાર્કમાં  ઈચ્છાનો મોક્ષ કરવો જ રહ્યો એટલે નક્કી કર્યું કે જો હોના હૈ હો,પણ જવું તો કોર્બેટ નેશનલ પાર્ક.  ઉત્તરાખંડમાં આવેલા આ અભ્યારણ્યનું નામ છે કોર્બેટ નેશનલ પાર્ક પણ સહુ કોઈ એને જિમ કોર્બેટ પાર્ક કહે છે.  વિગતે વાત કરીએ એ પહેલા સહુની કુતુહલતાને રજા આપી દેવી જરૂરી છે. એટલે ખાસ કહેવાનું કે કોર્બેટપાર્કમાં વાઘ તો જોવા મ...