પથ્થરમાં કોતરાયેલું મહાકાવ્ય
વિશ્વની કહેવાતી અજાયબી જોઈ આવ્યા હો ને ઈલોરાની મુલાકાત લીધી ન હોય તો મનમાં પ્રશ્ન તો જરૂર ઉઠવો જોઈએ કે આટલી વૈચારિક દરિદ્રતાના શિકાર આપણે કઈ રીતે થયા ? મહાકાય શિલાઓમાં કોતરાયેલી ગુફાઓ , મંદિર , મૂર્તિઓ સ્થાપત્યકલા તે સમય દરમ્યાન સ્થાપત્ય નિર્માણ શૈલી કેવી જાનદાર હોય શકે તેનો બોલતો પુરાવો એટલે આ ઇલોરાની ગુફાઓ છે . વિશ્વમાં માત્ર એક ને એક એવા રોક કટ સ્થાપત્યનો અજોડ નમૂનો જે UNESCO વર્લ્ડ હેરિટેજ દ્વારા 1983 માં નવાજવામાં આવ્યા પછી એની મહાનતા નું જ્ઞાન વિશ્વભરમાં થયું . આખા વિશ્વભરમાં એક અને એક માત્ર એવું પ્રાચીન અજોડ મોનોલિથિક સ્કલ્પચર છે કૈલાસ મંદિર . જે બે લાખ ટનની શિલા કોતરીને બનાવાયું છે . તેની વાત વિસ્તારથી કરવી પડે . અમે અજંતા કેવ્ઝ જોવા જવાનો પ્લાન બીજા દિવસ પર મુલતવી રાખી ઈલોરા કેવ્ઝની વિઝીટ લેવાનું નક્કી કર્યું . કારણ એટલું જ કે આ ગુફાઓ ઔરંગાબાદથી માત્ર 34 કિલોમીટર દૂર છે . રસ્તા પણ સારા છે . અત્યારે વેલૂર તરીકે ઓળખાત