પોસ્ટ્સ

જાન્યુઆરી 18, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આઝમા ફસાદ બક : ઔરંગઝેબ જાણતો હતો કે મુગલ સામ્રાજ્ય અસ્ત નક્કી છે જેના બીજ નાખનાર પોતે હતો

છબી
  ઔરંગાબાદના મુખ્ય  ટુરિસ્ટ આકર્ષણો અમે જોઈ લીધા હતા. બાકી જો કંઈ રહેતું હોય તો તે હતું બીબી કા મકબરા . આઇટેનરીમાં એક સ્થળનું તો નામ જ ગાયબ હતું તે હતી આલમગીર ઔરંગઝેબની દરગાહ. ટુર શરુ કરતાં પૂર્વે વાંચી લીધું હતું કે બીબી કા મકબરા જોઈને મોટાભાગના ટૂરિસ્ટ્સને નિરાશા જ ઉપજે છે. ટ્રીપ એડવાઈઝર પર એવી જ કમેન્ટ્સ હતી. ને વાત સાચી પણ લાગી. આગ્રાનો તાજમહાલ  અને પછી તમે દખ્ખણના તાજ તરીકે લેખાતો બીબી કા મકબરા જોવા જાવ તો જે નિરાશા ઉપજે તેમાં વાંક તમારો હરગીઝ નથી.  આગ્રાનો તાજ બનાવનાર હતો શાહજહાં , ઔરંગઝેબનો પિતા. જેને ઔરંગઝેબે જેલમાં નંખાવ્યો હતો. ઇતિહાસની આ તમામ વાતોથી સૌ વિદિત છે. કહાનીઓ તો એમ પણ કહે છે કે કટ્ટરપંથી ઔરંગઝેબનો પ્રથમ પ્રેમ કોઈ હિન્દૂ યુવતી હતી. જે પ્રેમકથા કોઈક કારણસર આગળ ચાલી નહીં. બીબીનો મકબરો જેને માટે બનાવાયો તે ઔરંગઝેબની પ્રથમ પત્ની દિલરસબાનુ પણ સાસુ મુમતાઝ મહેલની જેમ જ પ્રસુતિ દરમિયાન મરણ પામી હતી, પાંચ સંતાનો આપીને. પણ, ઔરંગઝેબને યુદ્ધ સિવાય કશું જામતું નહીં. એ જ તો વાત હતી કે જેને કારણે એને પિતા શાહજહાં ને ભાઈ દારા શિકોહ પર ધિક્કાર હતો. કલાપ્રેમી ,સહિષ્ણુ અને દિલ્હીના તખ