Posts

નયી ઉમ્ર કી નયી ફસલ..

Image
સોશિયલ મીડિયા પર જે ધમધમ ધૂરંધર માટે ચાલતી હતી ત્યારે ધૂરંધર જોઈ નહોતી એટલે ત્યારે  લખવું ઉચિત નહોતું લાગ્યું .જોયા પછી ખ્યાલ આવ્યો કે દર્શક શું જોઈને ટંકશાળ પાડે છે. જો કે એકતરફ ટંકશાળ અને બીજી તરફ માછલાં ધોનાર બંને પાર્ટીની ખોટ નથી. સોશિયલ મીડિયા અને કેટલાક વર્તુળોમાં ‘ધૂરંધર’ ફિલ્મને ‘પ્રોપેગેન્ડા’ કહેવામાં આવી તે સામે, રામગોપાલ વર્માએ કડક પ્રતિક્રિયા આપી. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘પ્રોપેગેન્ડા’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે તે લોકો કરે છે, જેઓ કોઈ ખાસ દૃષ્ટિકોણને સ્વીકારી શકતા નથી. “જો કોઈને લાગે છે કે આ ફિલ્મ પ્રોપેગેન્ડા છે, તો તેમને શાંતિથી બેસવાના બદલે પોતાની ફિલ્મ બનાવીને તેનો જવાબ આપવો જોઈએ. સિનેમા પોતાનો મત વ્યક્ત કરવાનો એક માધ્યમ છે, અને દરેક નિર્દેશકને પોતાનું પક્ષ રજૂ કરવાનો સંપૂર્ણ હક છે.” રામ ગોપાલ વર્માએ એ પણ કહ્યું કે બોલીવૂડ માટે ‘હોરર’ એટલા માટે છે કે  આ ફિલ્મ તે મેકર્સ માટે ડરામણી છે, જેઓ માનતા હતા કે દર્શકો પોતાનું ‘દિમાગ ઘરે મૂકી’ ફિલ્મ જોવા આવે છે. ‘ધૂરંધર 2’ એ તે ‘ઉડતા હીરો’નો યુગ ખતમ કરી દીધો છે, જે હીરો ક્યારેય ઘાયલ થતા નહોતા. રણવીર સિ...

Why Dhurandhar Hits Hard And Why It's Bothers Many

Image
When the buzz around Dhurandhar was raging on social media, I hadn’t watched it, so it didn’t feel appropriate to write about it then. After watching it, I understood what exactly the audience is reacting to so strongly. That said, neither the ones praising it excessively nor those criticizing it harshly are entirely at fault. On social media and in certain circles, the film Dhurandhar was labeled as “propaganda,” to which Ram Gopal Varma gave a strong response. In an interview, he said that the term “propaganda” is usually used by people who are unable to accept a particular viewpoint. “If someone feels this film is propaganda, instead of sitting quietly, they should make their own film and respond. Cinema is a medium to express one’s opinion, and every director has the full right to present their perspective.” Ram Gopal Varma also said that this film is like “horror” for Bollywood because it scares those filmmakers who believed that audiences come to watch films after “le...

ફિર મિલોગે કભી... ઇસ બાત કા વાદા કર લો...

Image
  અમારી સવારી ચાલી નીકળી શ્રી નગર માટે.  સામાન્યરીતે લોકો પહેલા શ્રી નગરમાં સ્ટે કરે ને પછી આગળ જાય. અમે વિપરીત આઇટેનરી ગોઠવી હતી. કારણ હતું શોપિંગ. એ વાત તો પછી  પણ પહેલા તો શ્રી નગરની વાત કરવી પડે.  મુગલ બાદશાહ જહાંગીરને કાશ્મીર એટલું તો પસંદ હતું કે એનો ઈરાદો તો કાશ્મીરમાં જ રહેવાનો હતો. આમ તો સમર કેપિટલ હતું જ.  જહાંગીર મોટેભાગે ત્યાં જ પડ્યો પાથર્યો રહેતો. માદક વાતાવરણ અને અફીણનો નશો , એમ કહેવાય છે કે જહાંગીરના પાછલા વર્ષો ઐયાશીમાં જ ગુજર્યા. તેસમયે ખરેખર તો નૂરજહાંનો સિક્કા  પડતાં. એ રાજ કરતી હતી. શ્રી નગરનું મૂળ નામ તો સૂર્યનગર, આ નામનો ઉલ્લેખ રાજતરંગિણી નામનો ગ્રંથ કરે છે. સંસ્કૃત લેખક કલ્હણે લખી છે. કારણ હતું હિન્દુ સામ્રાજ્ય. કસમીર એટલે કે શુદ્ધ પાણીનો પ્રદેશ.કાશ્મીરમાં મોટાભાગે નામ હિન્દૂ જોવા મળે. જે અપભ્રંશ થઈને આજે પણ ચાલે છે. એક બીજો ઉલ્લેખ મળે છે તે પ્રમાણે  બારામુલ્લા , મૂળ નામ વરાહ મૂળ એટલે કે વરાહના દાંત સાથે જોડાયેલી વાત . હવે બારામુલ્લા ચાલે છે. દલ લેકનું મૂળ નામ હતું મહાસરિત , જૂના સંસ્કૃત પુસ્તકોમાંથી આ ...

Hornbill, Hills and Hard Truths from Nagaland

Image
Known as the festival of festivals, Nagaland’s most beloved celebration takes its name from the hornbill bird, a creature the Naga people deeply respect and relate to. The hornbill stands for strength, longevity, fertility, and is seen as a spiritual messenger. It is also admired for its rare loyalty—the female hornbill seals herself inside a tree hollow during nesting, placing complete trust in the male to care for her. To the Nagas, this devotion feels familiar. Like the hornbill, they value honesty, hard work, discipline, and loyalty. Shaped by a history of warrior traditions, they are resilient and courageous, yet guided by deep moral codes and a strong sense of community. The hornbill is also known as a friend of farmers, nurturing the land just as the people nurture their roots. This quiet bond between bird, land, and people is what truly gives the Hornbill Festival its soul. The idea of attending the Hornbill Festival of Nagaland h...

ખોનોમા : યોદ્ધા જયારે રક્ષક બને

Image
  ખોનોમા :  યોદ્ધા જયારે રક્ષક બને .. ખોનોમા,  700 વર્ષનો ઈતિહાસ ધરાવતું એક ગામ. એવું કહેવાય છે કે ભૂમિ પોતાની પર કોઈ એક કુટુંબ કે પેઢીની હકૂમત સહે નહીં. એટલે ઘર બદલનાર સમજે કે તેઓ ઘર ,ભૂમિ બદલે છે પણ એવું નથી હોતું. ઘર કે પછી ભૂમિ પોતાની મરજીથી નક્કી કરે કે કોને રાખવા ને કોને કાઢવા ...જો કે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે ખબર નથી પણ કોઈ પણ સંસ્કૃતિમાં વત્તેઓછે અંશે એ માન્યતા છે . ને આ 700 વર્ષ જુનું ગામ ?  તેમાં પણ પેઢી દર પેઢીથી ઘરમાં રહેનાર એ પ્રજા ને તેમના ગામ વિશે શું કહેવું ? ધુમ્મસભરી સાંજે આ ગામ કોઈ મોટા આડંબર સાથે સ્વાગત નથી કરતું. તે બસ હળવેકથી નજર સામે આવે છે. જેમ જેમ નજીક  પહોંચી રહ્યા હતા ત્યારે  બ્લોસમના ફૂલથી લદાયેલી ટેકરીઓ સ્વાગત કરતી હતી.  એક પછી એક  ખેતરો દેખાવા લાગે છે, જેને આપણે ટેરેસ ફિલ્ડ તરીકે જાણીએ છીએ . એ ખેતરો જે આપણે બહુધા ટીવી કે laptop ના સ્ક્રીન સેવર તરીકે જોયા છે. ઢોળાવ પર ટેરેસની જેમ ચોસલાં જેવા ખેતર કોઈ પિક્ચર પોસ્ટકાર્ડ જેવા લાગે.  કોહિમાથી લગભગ વીસ કિલોમીટર દૂર, નાગાલેન્ડનું આ અંગામી નાગા ગામ ...