Posts

Showing posts from September 16, 2017

શ્રાદ્ધ ન કરો તો વાંધો નહીં કાગડાભાઈને જમાડજો

Image
 જૂની તમામ પ્રથાને વખોડવી એ આજે આધુનિક દેખાવાની પહેલી વણલખી શરત છે. આજકાલ શ્રાદ્ધનો મહિનો છે. એ વિષે પિતૃઓને કાગડા સાથે સરખાવીને માઈન્ડલેસ કહી શકાય એવી હરકત તો વર્ષોથી કાર્ટૂનરૂપે ચાલતી હતી હવે વૉટ્સએપના માધ્યમથી ચાલે છે.  આપણને તો ખબર પણ નથી ને જાણવાની દરકાર પણ નથી કે જે જૂના નીતિનિયમો ધાર્મિક વિધિ તરીકે જનજીવનમાં વણાઈ ચુક્યા છે એ પાછળ કોઈક ને કોઈક કારણ તો હોવા જ રહ્યા  .  શ્રાદ્ધ ઓગસ્ટ સપ્ટેમ્બર  મહિના દરમિયાન જ કેમ આવે છે ? કાગવાસ શા માટે હોય છે ? એવા કદીય પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યા છે ? આ વિષે થોડું વિચારવાથી જવાબ  મળી જશે.  સૌથી પહેલું કારણ તે વૃક્ષ વાવવાનું અને તેના સંવર્ધનનું. એમ કહેવાય છે ચોમાસામાં કોઈ પણ રોપા કે બીજ વાવો તો એ સામાન્યરીતે એ સરસરીતે ખીલે છે. ખાસ કરીને પીપળો , વડ, લીમડો  .  હિન્દૂ ધર્મમાં જ નહીં બૌદ્ધ ધર્મમાં વડ અને પીપળો અતિશય પવિત્ર મનાય છે. એક વાત તો દરેકે સાંભળી હશે કે પીપળો કપાવનાર નિર્વંશ મારે કે પછી અકિંચન , દરિદ્રતા ભોગવે  . આ વાત કેટલેક અંશે સાચી પડતા જોઈ છે પણ અહીં એ વાત અહીં કોઈ વ...