Posts

Showing posts with the label Jain Temples

પથ્થરમાં કોતરાયેલી કવિતા : નલિનીગુલ્મ

Image
बिन पीयां या जाणियै, किसो गंगजळ नीर। बिन जीयां या जाणियै, किसड़ो भोजन खीर।। વિના પીએ કેમ જાણી શકાય કે ગંગાજળ શું છે ? વિના ખાધે કેમ કહી શકાય કે ખીર કેવી હોય છે ?  એ જ રીતે કહી શકાય કે રાણકપુર ન જોયું હોય તો  સ્થાપત્ય શું છે  ? આજથી લગભગ છ સદી  પૂર્વે એટલે કે 1437માં નિર્માણાધીન થયેલું રાણકપુરનું જૈન દહેરાસર આજે વિદેશી ટુરિસ્ટની મસ્ટ વૉચ લિસ્ટમાં મોખરે હોય છે.   એવું તો ખાસ શું છે આ દહેરાસરમાં  ?   1439  મનાય છે નિર્માણ શરુ થવાનું વર્ષ પણ એમાં થોડા મતભેદ છે. એક મત છે જે 14મી સદીમાં આ ભવ્ય સ્થાપત્ય નિર્માણ થયું એમ માને છે બીજો મત છે જે પંદરમી સદી લેખે છે. સદી ગમે એ હોય પણ પ્રથમ તીર્થંકર આદિનાથ માટે બનેલું આ દહેરાસર , કલાકારીગીરીનો એક ઉત્કૃષ્ટ નમૂનો તો છે એમાં કોઈ બેમત નથી.  એક એવું સ્થાપત્ય જેનો આકાર છે,અવકાશયાન, એટલે કે સ્પેસશીપ જેવો. તે પણ સીધીસરળ સ્પેસશિપ નહીં  ત્રિમંજ઼િલ અવકાશયાન જેવો. હેરત પમાડે એવી વાત છે , જયારે રોકેટ સાયન્સ ટેક્નોલોજીનો વિચાર સુધ્ધાં નહોતો વિકસ્યો એ સમયે આવી કલ્પના ક...

કાચમાં મઢેલી અદભૂત શાંતિ

Image
કલકત્તા એટલે સંસ્કૃતિધામ, નામ પડતા સૌથી પહેલા યાદ આવે ટાગોર, શરદબાબુ અને પછી મહાન  ફિલ્મ મેકર્સ , કલકત્તાની ઢાકાઈ ને તાન્ગાઇલ સાડીઓ, જેમાં કોલેજ જવાની મજા શર્મિલા ટાગોર ને શબાના આઝમીને કારણે આવતી. રાજેશ ખન્નાએ અમર બનવેલો હાવરા બ્રિજ, દક્ષિણેશ્વર,બેલુર મઠ, રામ કૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ, કાલી મા અને દુર્ગા પૂજાના વિદ્યા બાલનની કહાની વનના ફિલ્મી સીન્સ .. કલકતા જોવાનો જોગ મોડો મોડો આવ્યો ખરો પણ એ ઉંમરે જયારે શરદબાબુનું કોલકોતા ક્યાંક સરી ગયું હતું  . કોલકાતાના જાણીતાં માનીતાં સ્થળ, ખાણીપીણી , શોપિંગ અને મોજની  વાત તો થતી રહેશે પણ સહુથી પહેલી એક મનમાં મઢાઈ ગયેલી યાદ.  અમારા મિત્ર સુનિલ મહેતાએ  અમને કલકત્તાનો કોઈ ખૂણો દેખાડવો બાકી છોડવો નહોતો અને અમારે છોડવો પણ ક્યાં હતો ? પણ તન ક્યારેક મનની વાત જ ન સાંભળે ત્યારે ભારે દુવિધા થાય.  કોલકતાની  ગરમી , કઈંક અજબ છે. મુંબઈ કરતાં કદાચ 50 ટકા વધુ ભેજ અને ગરમી, ઉફ્ફ , અડધા દિવસમાં લાગે તમે ચાર દિવસથી ફરી રહ્યા છે.  એની વે, પણ જલસો જરૂર પડ્યો , એમાં એક સામાન્ય યાદીમાં ન હોય તેવું...