Posts

Showing posts with the label Delhi

મહાભારત યુદ્ધ શ્રી કૃષ્ણ ટાળી શક્યા હોતે? તો એમને એમ કર્યું કેમ નહીં ?

Image
બાળપણથી આ શ્લોક સાંભળતા રહ્યા હોવા છતાં એની પાછળની ભાવના ક્યારેય સમજાઈ  છે ? શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન હતા છતાં એમને મહાભારત થતું રોક્યું કેમ નહીં ? આ પ્રશ્ન વિષેની જિજ્ઞાસા શમી ન હોય તો ફરી એકવાર મહાભારત વાંચવું પડે. જે નિર્મિત છે તે થઈને જ રહે છે. ભૂતકાળની છાયા ભાવિ પર પડે અને તેનાથી પ્રજા કશુંક પામે , કંઈક બોધ પામે એવા કોઈ ઉદ્દેશથી એક મહાભારત માત્ર યુદ્ધકથા નથી , સમજો તો બોધકથા છે. અત્યાર સુધી મહાભારતને કાલ્પનિક પણ લેખાવનાર બૌધિકો છે. હવે એ મત પર પરદો પડ્યો છે નવા સંશોધનથી, મહાભારત સાથે જોડાયેલી ભગવદ ગીતા હવે વિદેશોમાં એક કોર્સ તરીકે ભણાવાય છે , કર્મયોગ ફિલોસોફી તરીકે અને એ ભગવદ ગીતાના ભૂમિ છે કુરુક્ષેત્ર , જ્યાં મહાભારત યુદ્ધ થયું , જ્યાં શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાજ્ઞાન  આપ્યું . કુરુક્ષેત્ર નવી દિલ્હીથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે અને ચંદીગઢથી આશરે 80 કિમી દૂર. પુરાણો પ્રમાણે, કુરુક્ષેત્ર એ મહાકાવ્ય મહાભારતમાં દર્શાવ્યા પ્રમાણે, કૌરવો અને પાંડવોના પૂર્વજ રાજા કુરુ નામના પ્રદેશ છે. આ સ્થળનું મહત્વ  જ એ છે  કે  કુ...

ચાલો કાળો કોશી બોલાવે !!

Image
એવું તો ભાગ્યે જ બને કે દિલ્હી ગયા હો ને ત્યાં તમામ આકર્ષણ જોવાનો મોકો મળે  . કારણ છે એક તો કામનું ભારણ ને બીજો દિલ્હીનો ટ્રાફિક  . એ સમયે કોઈ માત્ર દિલ્હીફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવે તો કેવું લાગે? અમે ગોઠવ્યો કારણ સાફ હતું  . જયારે જયારે દિલ્હી  જવાનું થયું છે ત્યારે એ વિઝીટ માત્ર એક કે બે દિવસની રહી છે. દિલ્હીમાં શું જોવાનું છે એવો પ્રશ્ન થાય તો લાલ કિલ્લા , હુમાયુનો મકબરો , કુતુબ  મિનાર કે નિઝામુદ્દીન પર ફુલસ્ટોપ ન મૂકી દેતાં  . દિલ્હી હવે ચારે કોર એવું તો વિકસી ચૂક્યું છે કે દરેક દિશાના કોઈકને કોઈક ખૂણે આકર્ષણ તમારી રાહ જોતું હોય એમ પણ બને. આજે વાત કરવી છે દિલ્હીની પાસે વિકસી ચૂકેલા ગુડગાઉંની , હવે ગુરુગ્રામ, આમ તો હરિયાણામાં ગણાય પણ દિલ્હીની કોખમાં બેઠેલું આ સબર્બ એક જમાનામાં અમીરોની પસંદગી નહોતું , છેલ્લાં દસ પંદર વર્ષથી જાયન્ટ બિલ્ડરોએ એને માયાપુરી બનાવી દીધું છે. જો કે પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ પણ હરિયાણામાં જ હતું ને !! ગુરુગામના જૂનાને જાણીતાં મેનમેડ આકર્ષણોની વાત નથી કરવી , જેવા કે કિંગડમ ઓફ ડ્રીમઝ પણ આજે વાત કરવાની છે અતિશય કોરાણે મુકાઈ...

હાલ ને જાઈયે ગામડે

Image
એક જમાનો હતો , ગુજરાતી ફિલ્મો એટલે ભાભુ ઢોર ચારતાં જેવી ફિલ્મો  .  ચોયણી ને કળીબંધ ચુડીદાર , માથે સાફો , રંગરસિયા કલરફુલ પાઘ પહેરે , બસ એટલો જ ફેર. ગામડાની ગોરી એટલે ઘમ્મરિયાળો ઘાઘરો , લાલ બાંધણી , લહેરિયા , એમાં પણ માથે ઓઢ્યું હોય , હાથમાં બલોયા , ગાળામાં હાંસડી ,  પગમાં કડલાં  , માથે બેડું  ...  હવે એ યુગ ફિલ્મોમાંથી પણ ગયો તો રિયલ લાઈફની તો શું વાત કરવી ?  પણ જો, એક દિવસ એ વાતાવરણમાં રહેવાની મોજનો વિકલ્પ મળે તો ? ગુજરાતમાં હોય તો જાણ નથી પણ દિલ્હી પાસે એ વિકલ્પ મળે. અલબત્ત, વાસ્તવિક તો નહીં પણ વાસ્તવિકતાની એકદમ નજીક. દિલ્હીની અમારી ટ્રીપનું સ્ટાર અટ્રેક્શન જ હતું આ પ્રતાપગઢ ફાર્મ  . હોલીડે એટલે મોલ, મલ્ટીપ્લેક્સમાં મૂવી કે પછી પબ હૉપિંગ નહીં. ગામડાનો અનુભવ અને એની મઝા માત્ર એક દિવસ માટે  . જઝ્ઝર  રેલવે સ્ટેશન નજીક આવેલું પ્રતાપગઢ ફાર્મ છે તો  હરિયાણામાં , પણ દિલ્હીથી માત્ર બે કલાક દૂર. એક એવી જગ્યા , જે પ્રકૃતિની  મનોહર સુંદરતાને પ્રાકૃતિક દ્રષ્ટિથી સુંદર બનાવે છે,  દિલ્હીવા...