પોસ્ટ્સ

જુલાઈ 13, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કાચમાં મઢેલી અદભૂત શાંતિ

છબી
કલકત્તા એટલે સંસ્કૃતિધામ, નામ પડતા સૌથી પહેલા યાદ આવે ટાગોર, શરદબાબુ અને પછી મહાન  ફિલ્મ મેકર્સ , કલકત્તાની ઢાકાઈ ને તાન્ગાઇલ સાડીઓ, જેમાં કોલેજ જવાની મજા શર્મિલા ટાગોર ને શબાના આઝમીને કારણે આવતી. રાજેશ ખન્નાએ અમર બનવેલો હાવરા બ્રિજ, દક્ષિણેશ્વર,બેલુર મઠ, રામ કૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ, કાલી મા અને દુર્ગા પૂજાના વિદ્યા બાલનની કહાની વનના ફિલ્મી સીન્સ .. કલકતા જોવાનો જોગ મોડો મોડો આવ્યો ખરો પણ એ ઉંમરે જયારે શરદબાબુનું કોલકોતા ક્યાંક સરી ગયું હતું  . કોલકાતાના જાણીતાં માનીતાં સ્થળ, ખાણીપીણી , શોપિંગ અને મોજની  વાત તો થતી રહેશે પણ સહુથી પહેલી એક મનમાં મઢાઈ ગયેલી યાદ.  અમારા મિત્ર સુનિલ મહેતાએ  અમને કલકત્તાનો કોઈ ખૂણો દેખાડવો બાકી છોડવો નહોતો અને અમારે છોડવો પણ ક્યાં હતો ? પણ તન ક્યારેક મનની વાત જ ન સાંભળે ત્યારે ભારે દુવિધા થાય.  કોલકતાની  ગરમી , કઈંક અજબ છે. મુંબઈ કરતાં કદાચ 50 ટકા વધુ ભેજ અને ગરમી, ઉફ્ફ , અડધા દિવસમાં લાગે તમે ચાર દિવસથી ફરી રહ્યા છે.  એની વે, પણ જલસો જરૂર પડ્યો , એમાં એક સામાન્ય યાદીમાં ન હોય તેવું નામ દાદા સાહેબનો બગીચો એટલે કે જૈનો જેને દાદાવાડી કહે