Posts

Showing posts with the label Gujarat

શ્રાવણની મસાલેદાર પ્રસાદી

Image
સુરતની ઘણી બધી ખાસિયતો છે પણ એક બેનમૂન છે ખાજાની , એવું બને નહીં કે વરસાદ જામ્યો હોય ને  એક જન્મજાત સુરતીના ઘરે ખાજા આવ્યા ન હોય. વરસાદમાં ભજીયાની જ્યાફત તો સૌ માણે પણ સુરતીઓ સ્વાદ ને ખાનપાનમાં એક મુઠ્ઠી ઉંચેરા એટલી વાત તો સ્વીકારવી પડે. શિયાળામાં વસાણા, પોંક , ઊંધિયું , ઉંબાડિયું  હવે વર્લ્ડકલાસ થઇ ચૂક્યા છે. મિઠાઈઓ તો બંગાળી હોય કે સુરતી એને કોઈ સરહદ ન નડે , એ પછી ઘારી હોય કે ઘેબર , એની વાત કરવી છે પણ પછી ક્યારેક આજે તો માત્ર ખાજાંપુરાણ કારણ કે આ સરસિયા ખાજાં માત્ર ને માત્ર શ્રાવણ અને વરસાદ દરમિયાન જ મળે ને ખાઈ શકાય  . એનું કારણ છે એમાં રહેલાં મરીનું પ્રમાણ  . આજથી એક સદી પૂર્વે લોકોની ખાણીપીણી ઋતુ મુજબ  રહેતી હતી.  જેમ ભારતમાં ઋતુ  પ્રમાણે આહાર ખવાતો હતો એ જ ચાલ  પશ્ચિમી જગતમાં પણ છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચોમાસામાં ફ્રોઝન કેરીનો રસ કે પછી ભર ઉનાળે ફોન્ડ્યુ ,આજની તાસીર છે. અલબત્ત , ખાજાં ચોમાસામાં જ ખવાય છે પણ એમ મનાય છે કે એ ઉનાળો જવાની તૈયારીમાં હોય ત્યારે કેરીના રસ સાથે પણ ખવાતા રહ્યા છ...

મેલ કરવત મોચીના મોચીના ન્યાયે ....

Image
આમ તો આ બ્લોગ પર પોલિટિકલ વાત કે લેખ ન જ લખવા એવું મનોમન નક્કી કર્યું હતું પણ કહેવાય છે ને મેલ કરવત મોચીના મોચી  , એ જ રીતે એકવાર પત્રકાર સદા પત્રકાર  . જે રીતની અફરાતફરી ચાલી રહી છે ગુજરાતમાં ત્યારે મનમાં એક પર્સનલ ફેવરિટ સોન્ગ આ સિચ્યુએશનને ફિટ થતું લાગ્યું  . મજરૂહ સાહેબનું લખેલું એ ગીત , અનુ મલિકે કમ્પોઝ કર્યું છે. ફિલ્મ છે અકેલે હમ અકેલે તુમ   .....આમિર ને મનીષા કોઈરાલા , કુમાર સાનુ ને અલકા યાજ્ઞિકે ગયેલું   .... 95માં આવેલી ફિલ્મનું સોન્ગ વન ઓફ ધ ફેવરિટસ  હતું પણ સાવ વિસરાઈ ગયેલું  . હવે શું કહેવું આગળ ? કોંગ્રેસના વિધાનસભ્યોએ યાદ કરાવ્યું ? લિરિક્સ  વાંચશો તો તમે પણ અમારા મત સાથે સહમત થશો.   आये न दामन अब हाथ मे पाना तुमको मुमकिन ही नही सोचे भी तो हम घबराते है दिल हमको कभी समझाता है हम दिल को कभी समझाते है https://www.youtube.com/watch?v=mCP6WVbvGLc

મુંબઈ મેરી જાન : જો ગઝની આવ્યો જ ન હોત તો ?

Image
આપણે ફિલમેકર્સને  કોસવામાં શૂરા છીએ. એમાં પણ ખાસ તો ઐતિહાસિક કે પછી કોઈક મહાન ક્લાસિક કૃતિ પર આધારિત ફિલ્મોમાં લેવાતી છૂટછાટ તો કોઈ હિસાબે માન્ય નથી હોતી. જોવાની ખૂબી તો એ છે કે આપણી માહિતી સાથે બંધબેસે તો જ એ ઇતિહાસ સાચો બાકી નહીં એવું જડત્વ પણ ખરું. પણ, મહાન ઇતિહાસકારોની માહિતી ખોટી હોય શકે એ સ્વીકારવી રહી. એક ઉદાહરણ છે રાજા ભીમદેવ સોલંકી , એમના વિષે લખાયેલી વિગતો અને માહિતી માની લેવા ચાહિયે તો પણ એમનું  જન્મવર્ષ આપણને વિચાર કરતાં મૂકી દે. એ હકીકત છે કે મુંબઈ ભીમદેવનું નિવાસસ્થાન રહ્યું , પણ કયા ભીમદેવ ? ભીમદેવ પહેલા વિષે ઇતિહાસ લેખે છે. ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો  , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો  સાલ ઈ.સ 1025, જાન્યુઆરી મહિનો. મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું ગુજરાતના હાર્દ એવા સંસ્કૃતિધામ સોમનાથ મં...