પોસ્ટ્સ

ઑગસ્ટ 27, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બાપ્પા મોરિયા કેમ ?

છબી
ગણપતિ બાપા ... મોરિયા .... બપ્પા મોરયા રે, બપ્પા મોરયા રે... એવી ધૂન આપણે ગણેશ ઉત્સવ દરમિયાન વર્ષોથી સાંભળીયે છતાં બાપા મોર્રયા કેમ એવો વિચાર તો ક્યારે આવેલો જ નહીં. આ મોરયા કોણ ને એનું નામ ગણેશજી જોડે કેમ લેવાય છે તેની જાણ થોડાં સમય પૂર્વે જ થયેલી. આ મોરયા ગોસાવી એટલે એક એવા ગણેશભક્ત કે જેનું નામ ગણેશજી સાથે આ દિવસોમાં જોડાય છે . અલબત્ત , પૂણે પાસે ચિંચવડમાં મોરયા ગોસાવીએ ગણેશોત્સવ દરમિયાન જ એ મંદિરની મુલાકાતનો યોગ આવ્યો. લગભગ ૧૪મી સદીમાં થયેલાં ( અંદાજિત ) આ ભક્ત નું મંદિર થોડાં નવા રંગરોગાન સિવાય પોતાનો સદી જુનો અસબાબ જાળવી શક્યું છે તે વાત ધ્યાનમાં આવ્યા વિના ન રહે . પાવના નદીને કાંઠે આવેલાં મંદિરનો પાછળનો ઘાટ દશમાની ક્રિયા માટે વધુ જાણીતો હોય તેવું લાગ્યું .ચિંચ એટલે આમલીનું ઘેઘૂર ઝાડ , જેની ઉંચાઈ અને પહોળાઈ કોઈ વડથી ઓછી નહી કદાચ એટલે જ ગામનું નામ પડ્યું હશે ચિંચવડ . ત્યાં છે આ ભક્તની સમાધિ અને ગણેશ મંદિર . જ્યાં સજીવન સમાધિ લીધી તે હવે જાગ્રત મંદિર તરીકે ગણેશભક્તોમાં પૂજાય છે . દંતકથાઓ ઘણી છે . એમ કહેવાય છે કે મોરયા પ્રખર ગણેશભક્ત, પણ એક ગણેશ ચતુર્થીના દિને મંદ