કેન્સરના એન્ટી ડોટ્સ, ઓરી ,માતાજી?
દર વર્ષે શીતળા સાતમ પાસે આવે એટલે
એક વાર્તા યાદ આવી જાય. નાનપણમાં ક્યાંક વાંચી હશે કે પછી કોઈ પાસે સાંભળી હશે.
એક વાર્તા યાદ આવી જાય. નાનપણમાં ક્યાંક વાંચી હશે કે પછી કોઈ પાસે સાંભળી હશે.
વાર્તા પ્રમાણે ગામમાં નવી વહુ આવી. જેવી સાસુની સામાન્ય વ્યાખ્યા હોય તેવી સાસુ મળી હતી. હવે આપણી મુખ્ય નાયિકાની એક જ તકલીફ હતી,એને કુલેર બહુ ભાવે. કુલેર એટલે ઘી ગોળમાં ભેળવેલો બાજરાનો લોટ. ઘી તો સાસુ તાળાચાવીમાં રાખે , વહુ શું કાચો લોટ ફાકે ?
સાસુની પહેરેદારી સામે વહુ ત્રાસી ગઈ.પણ કહે કોને? એક દિવસ એને ચમકારો થયો. એ ગઈ ગામમાં આવેલા માતાજીના મંદિરમાં .ફરિયાદ કરવી તો બીજાને શું કરવી ? સીધી માતાજીને જ ન કરવી ? માતાજીને ફરિયાદ કરીને ઘરે આવી. મનમાં હતું કોઈક તો ચમત્કાર થશે ને કુલેરનો જોગ થઇ જશે, પણ પથ્થર પર પાણી. ઘી તો ચાવીબંધ કોઠારમાં જ સચવાયેલું રહ્યું . હવે કરવું શું ?
વહુ ખરેખર અકળાઈ , પિયરિયાં તો વાત સાંભળવાના ન હતા. (આ વાર્તા કદાચ સાત આઠ નવ દાયકા પૂર્વેની હોવી જોઈએ , જયારે સ્ત્રીઓ આર્થિકરીતે પગભર નહોતી કે એક ઘીનો ડબ્બો પોતે લાવીને વાત પર ફૂલ સ્ટોપ મૂકે). જે કરવાનું હતું પોતે કરવાનું હતું .
વહુ ખરેખર અકળાઈ , પિયરિયાં તો વાત સાંભળવાના ન હતા. (આ વાર્તા કદાચ સાત આઠ નવ દાયકા પૂર્વેની હોવી જોઈએ , જયારે સ્ત્રીઓ આર્થિકરીતે પગભર નહોતી કે એક ઘીનો ડબ્બો પોતે લાવીને વાત પર ફૂલ સ્ટોપ મૂકે). જે કરવાનું હતું પોતે કરવાનું હતું .
વહુએ ઓપરેશન કુલેર પ્લાન કર્યું . બપોર થવા આવી હતી. બપોરે મંદિરના દ્વાર બંધ કરવા પૂર્વે પૂજારી આઘોપાછો થયો હતો. મંદિરમાં કોઈની હાજરી નથીને એ જોઈ લઈને વહુએ પાલવમાં બાંધી રાખેલો બાજરો ને ગોળ કાઢ્યા, પાસે જ માતાજી સામે મુકેલો અખંડ દીવો જલી રહ્યો હતો. ચડપ કરીને વહુએ તો કોડિયામાં રહેલા ઘી પોતે તૈયાર રાખેલી કુલેરમાં નાખીને લોટ ચોળી લીધો .
માતાજીનું ઘી લીધું તો માતાજીનો ભાગ કાઢવો પડે ને એવું વિચારીને વહુએ માતાજીની સામે કુલેર ધરી. ને પોતે ફટાફટ કુલેર પતાવી ચાલતી પકડી .
માતાજી તો આ વહુની હિમ્મત ને દિમાગથી એવા આશ્ચર્યચકિત થઇ ગયા કે એમની આંગળી દાંત તળે મુકાઈ ગઈ.
વહુ તો સડસડાટ નીકળી ગઈ , ઘરે ગઈ ને કામે વળગી.
સાંજે મંદિર ખોલનાર તો આભો થઇ ગયો. આ શું ? માતાજીની આંગળી મોઢામાં ? આ તો ભારે અનર્થ થઇ ગયો.હોહા થઇ ગઈ.
ગણતરીની મિનિટમાં ગામ આખું ભેગું થઇ ગયું .
'માતાજીનો કોપ છે ' ગણગણાટ શરૂ થયો. પંડિત આવ્યા , સાધુઓ આવ્યા , દિવસો સુધી મંત્રોચ્ચાર ને પુનશ્ચરણ ચાલ્યા પણ માતાજીની આંગળી હજી મોઢામાં જ હતી.
વહુ તો આખી વાત જ ભૂલી ગયેલી . એને કાન પર આ વાત આવી એટલે એ પામી ગઈ. આ તો પોતાની જ કરણીથી થયું લાગે છે.
વહુ તો આખી વાત જ ભૂલી ગયેલી . એને કાન પર આ વાત આવી એટલે એ પામી ગઈ. આ તો પોતાની જ કરણીથી થયું લાગે છે.
એ મંદિર આવી ,આખું ગામ, પંડિતો વિદ્વાનો એકઠા થયા હતા. ગામ પર કોપ આવી શકે છે એવી બધી વાતો ચાલી રહી હતી. હવે વહુથી ન રહેવાયું. એને ઘી ચોર્યું હતું પણ હવે માતાજીની આંગળી પૂર્વાવસ્થામાં લાવીને ગામલોકોને ભયમુક્ત કરવા એની ફરજ હતી.
પંડિતો સામે વહુએ પડકાર ફેંક્યો, હું માતાજીની મૂર્તિ પૂર્વવત કરી શકું છું પણ શરત એટલી કે મને એકાંત આપવું પડશે .
બધા ઈલાજો નાકામિયાબ રહ્યા હતા એટલે સહુએ હા પાડવી પડી. વહુએ મંદિરમાં પ્રવેશી બારણાં વાસી દીધા ને સીધી માતાજીની મૂર્તિ પાસે ગઈ.હાથ જોડીને ઉભી રહી.
'મા, નાનપણથી મને કુલેર કેટલી ભાવે છે તે તને તો ખબર છે , તો પણ તે મને ઘીની ચોકી થાય તેવા ઘરમાં પરણાવી , બાકી હતું તો રોજ કોડિયું ભરીને બળી જતાં ઘીમાંથી મેં બે ચમચી ઘી શું લીધું તને અચરજ થઇ ગયું ? અને હા, મેં તો તારો ભાગ પણ તો કાઢ્યો હતો. તે ન ખાધો એ પણ મારો વાંક ?
વહુની આ વાત સાંભળતાવેંત માતાજીને હસવું આવી ગયું ને આંગળી સરી પડી. વહુએ તરત બારણાં ખોલી નાખ્યા .
જે કામ સંત મહાત્મા વિદ્વાનો ન કરી શક્ય એ આ વહુએ કરી બતાવ્યું .
ગામલોકો માટે તો વહુ જ નવી દેવી બની ગઈ. વહુ માટે ઘીનો જોગ સદાકાળ માટે થઇ ગયો તે છોગામાં.
કહેવાય છે ને ચમત્કાર વિના નમસ્કાર નહીં .
કહેવાય છે ને ચમત્કાર વિના નમસ્કાર નહીં .
અલબત્ત , આ તો એક વાર્તા છે. પણ હકીકત એ છે કે કુલેર સાથે જોડાયેલી આ વાર્તા હંમેશા નવાઈનો વિષય બની રહે છે કે શીતળા સાતમમાં કુલેર કે પછી બધું ટાઢું ખાવાનું મહત્વ શું હોય શકે?
દર વર્ષે શીતળા સાતમ આવે એટલે મને ધાર્મિક શીતળા સાતમ વ્રત પાછળનું વૈજ્ઞાનિક કારણ શોધવાનું ભૂત માથે સવાર થઇ જાય. રાંધણ છઠને દિવસે રાંધીને થાકી ગયેલી બહેનો આખો દિવસ ટાઢો ખોરાક ખાઈને દિવસ પૂરો કરે. ભાઈઓ એમાં ભાવે એવી વાનગી હોય તો સાથ પુરાવે પણ ખાસ કરી એ કરવાની જવાબદારી માત્ર ને માત્ર ગૃહિણીની.
ખરેખર તો વરસાદમાં તાજો ગરમ અને સાત્વિક આહાર લેવાવો જોઈએ , ઠંડો આહાર તો વાયુ વિકાર ઉભો કરે પણ તે ઉપરાંત આ રિવાજ પાછળ કોઈક તો વિજ્ઞાનિક કારણ હોવું જ રહ્યું ને.
શીતળામાતાની પૂજા ઓરી અછબડા જેવા રોગમાંથી બચવા માટે થાય છે. શીતળા માતાની વાર્તા આપણે સાંભળી છે પણ એના કોઈ તાર મળતાં નથી. માત્ર એક શક્યતા જણાય છે ચોમાસામાં ફેલાતા ચેપી ઓરીથી બચાવવાની .
એક પશ્ચિમી વિજ્ઞાનીએ કરેલું સંશોધન કહે છે કે ઓરી અછબડા જેને સંસ્કૃતમાં મસુરિકા કહેવાય છે , જેનું ઉદ્ભવવું એ એક વેક્સીન તરીકે કામ કરે છે. એક જાતના કુદરતી વેક્સીન ,મહામારી માટે બોડીને તૈયાર કરવાના .જેવા કે કેન્સર માટેનું એન્ટી ડોટ. અલબત્ત, આ થિયરી પર સંશોધન ચાલુ છે. હજી માન્યતાપ્રાપ્ત નથી.
ખરેખર તો 70ના દાયકાથી ઓરી અછબડા નાબૂદ થઇ ચુક્યા છે , પણ એક તકેદારી રીતે રસીકરણ જરૂરી છે..
એક ઊડતી નજર શીતળા માતાના દેખાવ પાર નાખો તો ખ્યાલ આવે કે તેમની પૂજા વર્ષમાં માત્ર એકવાર જ કેમ થાય છે ? વળી પાછું હોય તેમની સાથે રહેલું ઝાડુ આડકતરી રીતે સ્વચ્છતા જાળવવાની વાત કહે છે. પૂજન માટે લીમડાના પણ વપરાય છે. લીમડો માનવજાત માટે કેટલો ઉપયોગી છે અને એની મેડિસિનલ , એન્ટી બેક્ટેરિયલ વેલ્યુ શું છે એ વિષે પણ બધા જાણે છે, એક સંકેત કે માર્ગદર્શિકા છે ઉચ્ચ હાઇજીન લેવલ જાળવવાની જે કામ કદાચ વિજ્ઞાનને નામે ન થાય તે , ધર્મને નામે પાપ , શ્રાપ , આશાતનાને નામે જલ્દી કરી શકાય . શીતળા માતાનું મંદિર પણ સામાન્યરીતે નદીકિનારે લીમડાના ઝાડ નીચે હોય છે.
શીતળા માતાનું મંદિર પણ સામાન્યરીતે નદીકિનારે લીમડાના ઝાડ નીચે હોય છે. |
બાજરો ગુણે ગરમ છે. ગોળ પણ, એની સાથે ઘી મેળવી એક બેલેન્સ ડાયેટ બને છે. એટલે ચોમાસામાં રોગ નિવારણનું રામબાણ , એથી વિશેષ કારણ પણ હોય શકે ,આ વિષે વધુ કોઈ વૈજ્ઞાનિક કારણો જાણતા હો તો અમને જરૂર જણાવશો .
આ વાત હતી કુલેરની , શીતળ સાતમની અને સામાન્ય આરોગ્યની. કદાચ એટલે શીતળા માતાના મંદિર ભાગ્યે જ જોવા મળે છે. મોટાભાગની બહેનો પાણિયારે દીવો કરીને પૂજન કરી લે છે.
ધર્મ અને વિજ્ઞાન બંને એક સિક્કાની બે બાજુ હોય છે. એટલે કે પ્રાકૃત્ત ધર્મ , જયારે પછીથી કોઈ ચોક્કસ વિચારધારાથી કે પછી કોઈ હેતુથી સર્જાયેલા ધર્મ કે સંપ્રદાય પાછળ જનકલ્યાણ ઉપરાંત અન્ય ઘણા કારણો હોય છે એ પણ કોઈ કહેવાની વાત છે ?
ધર્મ અને વિજ્ઞાન બંને એક સિક્કાની બે બાજુ હોય છે. એટલે કે પ્રાકૃત્ત ધર્મ , જયારે પછીથી કોઈ ચોક્કસ વિચારધારાથી કે પછી કોઈ હેતુથી સર્જાયેલા ધર્મ કે સંપ્રદાય પાછળ જનકલ્યાણ ઉપરાંત અન્ય ઘણા કારણો હોય છે એ પણ કોઈ કહેવાની વાત છે ?
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો