Posts

Showing posts from September 21, 2021

ફિર મિલોગે કભી... ઇસ બાત કા વાદા કર લો...

Image
  અમારી સવારી ચાલી નીકળી શ્રી નગર માટે.  સામાન્યરીતે લોકો પહેલા શ્રી નગરમાં સ્ટે કરે ને પછી આગળ જાય. અમે વિપરીત આઇટેનરી ગોઠવી હતી. કારણ હતું શોપિંગ. એ વાત તો પછી  પણ પહેલા તો શ્રી નગરની વાત કરવી પડે.  મુગલ બાદશાહ જહાંગીરને કાશ્મીર એટલું તો પસંદ હતું કે એનો ઈરાદો તો કાશ્મીરમાં જ રહેવાનો હતો. આમ તો સમર કેપિટલ હતું જ.  જહાંગીર મોટેભાગે ત્યાં જ પડ્યો પાથર્યો રહેતો. માદક વાતાવરણ અને અફીણનો નશો , એમ કહેવાય છે કે જહાંગીરના પાછલા વર્ષો ઐયાશીમાં જ ગુજર્યા. તેસમયે ખરેખર તો નૂરજહાંનો સિક્કા  પડતાં. એ રાજ કરતી હતી. શ્રી નગરનું મૂળ નામ તો સૂર્યનગર, આ નામનો ઉલ્લેખ રાજતરંગિણી નામનો ગ્રંથ કરે છે. સંસ્કૃત લેખક કલ્હણે લખી છે. કારણ હતું હિન્દુ સામ્રાજ્ય. કસમીર એટલે કે શુદ્ધ પાણીનો પ્રદેશ.કાશ્મીરમાં મોટાભાગે નામ હિન્દૂ જોવા મળે. જે અપભ્રંશ થઈને આજે પણ ચાલે છે. એક બીજો ઉલ્લેખ મળે છે તે પ્રમાણે  બારામુલ્લા , મૂળ નામ વરાહ મૂળ એટલે કે વરાહના દાંત સાથે જોડાયેલી વાત . હવે બારામુલ્લા ચાલે છે. દલ લેકનું મૂળ નામ હતું મહાસરિત , જૂના સંસ્કૃત પુસ્તકોમાંથી આ ...