કાશી મથુરા ક્યારેય પણ જવાય પણ અહીં નહીં !!



વિશ્વમાં અજોડ એક માત્ર એવો લિવિંગ રુટ બ્રિજ




 પાંચસો વર્ષ પુરાણો માનતો આ બ્રિજ માત્ર અને માત્ર ઝાડની ડાળીઓ, મૂળ, થડ , ઝાંખરા ને વડવાઈથી આપમેળે બન્યો છે. મુખ્યત્વે બે જાતિના વૃક્ષોથી એક વડ ને બીજાં રબર ટ્રીઝ ,બાકી મોટી શિલાઓએ પણ આધાર બનવામાં ભૂમિકા ભજવી છે.
 લગભગ 50 મીટર લાંબો , ને દોઢ ફૂટ પહોળો બ્રિજ લગભગ 500 માણસનું વજન ઝીલી શકે એટલો મજબૂત છે. જો કે આ વાત ત્યાંના લોકો કહે છે , એ વાતનું કોઈ પ્રમાણ નથી.


આ ફેસબુક પણ અજબ રમકડું છે.  યાદ રાખેલી કે કદીય ન યાદ રાખવી હોય એવી , યાદગાર પ્રસંગો, દોસ્તો દુશ્મનોને યાદ કરાવ્યા જ કરે. એ પણ વિના ભૂલે, દર વર્ષે, વર્ષોવર્ષ .

રોજ જ એ થાય છે પણ દર વખતે હાંસિયામાં 

શિલોન્ગ કે ચેરાપુંજી બાજુ જવાનું થાય તો એક નહીં જોવાલાયક સ્થળોનું તો લાબું લિસ્ટ મળશે. એમાં પણ ખાણીપીણી કે પછી આખા એશિયામાં પંકાયેલું  ચોખ્ખાચણાક નાનું અમસ્તું શહેર માવલિનોગ હોય કે પછી ગૌહાટી સિટીની અડોઅડ આવેલું એક એવું જંગલ જ્યાં એક પત્તુ હાલતું નથી , ન ટુરિસ્ટ યાદગીરી  સાથે પાંદડું લઇ જાય ન
સ્થાનિકો। એની પણ વાત કોઈકવાર કરશું પણ હમણાં મૂળ વાત પર.


 થોડા સમય પહેલા મળવા જેવા માણસમાં અલગારી મસ્તમૌલા પ્રવાસી એવા કોલકોત્તા નિવાસી સુનિલ મહેતાની વાત કરી હતી ત્યારે અમે આ જંગલનો , આ બ્રિજનો ઉલ્લેખ કર્યો હતો.શિલૉંગથી  ચેરાપુંજી જતી વખતે ડાબી બાજુએ અદભુત વેલી વ્યુ છે, મોટાભાગના ટૂરિસ્ટ્સ ત્યાં થોડીવાર રોકાય છે અને કુદરતી સૌંદર્યની મજા લૂંટે છે. હવે વાત સાહસિકોની, એક વાત ખેદ  સાથે કહેવી  પડે કે નીચે થોડે દૂર વિશ્વની અજાયબી રાહ જોઈ રહી હોય ત્યાં કોઈ ઈંડિયન ટુરિસ્ટને  જવામાં રસ ભાગ્યે જ  હોય છે પણ હોય  તો તે છે વેસ્ટર્નર્સ એટલે કે ગોરી ચામડીવાળા પ્રવાસીઓ। એને માટે એ લોકો ખાસ પૂર્વ ભારતના પ્રવાસે આવે છે એમ કહીએ તો પણ ચાલે।અમે ત્યાં એક સાઈનબોર્ડ વાંચ્યું . ત્યાં પણ એવી માહિતી નથી કે રૂટ બ્રિજ એક નથી બે છે.એક જ લેખાય છે. પહેલો બ્રિજ પ્રમાણમાં નાનો  છે બીજો જબરદસ્ત મોટો અને એટલો જ જૂનો  .

કહેવાય માત્ર 3500 પગથિયાં પણ ઉતરીને ફરી ચઢી જુઓ ત્યારે સમજ પડે.
સાઈનબોર્ડ પાર લખાયેલી માહિતી પ્રમાણે લગભગ 3000 પગથિયાં ઉતરવાના હતા. લગભગ 3.5 કિલોમીટર જેટલું ઉતરાણ અને એ ફરી ચઢાણ  .
અલબત્ત, બોર્ડ જોઈને થયું કે થોડું ટફ તો હશે, પણ અમારા  ડ્રાઈવર કમ ગાઈડના મોઢા પર તો એવી ગભરામણ તરવરી , એને વિશ્વાસ નહોતો થતો કે ત્રણ લેડીઝ આમ વિના કોઈ તૈયારી નીચે ઉતરવાની હઠ કરશે  .
અમારી પાસે ન તો વોટર બોટલ હતી ન એક બિસ્કિટનું પેકેટ  . સામાન્યરીતે ટ્રેકિંગ કરતા જે મસ્ટ કહેવાય એવી એક ચીજ પાસે નહીં  . અરે , પ્રોપર વૉકિંગ શૂઝ પણ નહીં  . છતાં માત્ર સાડા ત્રણ
કિલોમીટરના અંતર પર અમે મુશ્તાક હતા.

અમે ઉતરવા માંડ્યું ત્યારે હવામાં ચીલ ઠંડક હતી. થયું કે એકાદ વિન્ડશીટર સાથે રાખ્યું હોતે તો સારું થાત. આગલી રાતે પુષ્કળ વરસાદ થયો હશે જેને કારણે પગથિયાં માટીને કારણે લપસણા થઇ ગયા હતા. હવામાં એક ચીલ હતી. જેમ જેમ ઉતરતા ગયા ચીલ વધશે એવું અનુમાન તો સાચું હતું પણ એક સરખા ચાલવાને કારણે શરીરમાં હીટર ચાલુ થઇ ગયું હતું  . 

માહિતી 3000 થી 3500 પગથિયાંની છે. પણ સરાસર જૂઠી વાત છે.

  અમે ગયા ત્યારે અમને માત્ર ખબર હતી એની અજોડતાની  . પણ ત્યાં સુધી પહોંચવું કેમ એ વિષે ગૂગલ કર્યું ત્યારે મળેલા પરિણામ બહુ ઉત્સાહજનક નહોતા. મળેલી માહિતી પ્રમાણે શિલોન્ગથી ચેરાપુંજી જતાં  રસ્તામાં આવતી ખાસી હિલ્સ વટાવતાં જ દુનિયાથી સેંકડો વર્ષ પુરાણી સંસ્કૃતિ જાળવીને બેઠેલા ગામ ફૂટી નીકળ્યા  .લિવિંગ બ્રિજ જવા માટે મુખ્ય ગામ લેખાતા તૈનરૉન્ગ ગમે તો આવવું જ પડે. ખરેખર તો અન્ય ઘણી જગ્યાએ આ પ્રકારના પુલ છે એવું જાણવા મળ્યું પણ સૌથી મોટો અને પુરાણો હોવાનું માં આ ડબલ ડેકરને નામે છે. એટલે ટુરિસ્ટનો ધસારો પણ અહીં જ રહે છે.

એકવાર ત્યાં પહોંચ્યા પછી ઝાઝો વિચાર કરવાને બદલે અમે તો ઉતરતાં જ રહ્યા , આરો કે ઓવારો નહીં , જ્યાં જુઓ ત્યાં ઘનઘોર જંગલ , સૂર્યપ્રકાશને આવવામાં પણ તકલીફ પડે એવા પેચ પણ જોયા. ખરેખર તો ઘનઘોરનો સાચો અર્થ મેઘાલયના જંગલો જુઓ નહીં ત્યાં સુધી સમજાય નહીં .
ખાસી પ્રજા જેટલી સુંદર છે એટલી જ ખડતલ અને મહેનતુ , ભૌગોલિક પરિસ્થતિ જવાબદાર હશે.

 ગુગલ પર પણ આ માહિતી છે , પણ માની લેવી મુર્ખામીભર્યું પગલું છે જે અમે ભર્યું. અમે જે અનુભવ્યું એ માહિતી હજી પણ મળતી નથી. સામાન્યરીતે વિદેશીઓને તેમના ટુર ઓપરેટર્સ આપી દે છે. 
રોજ ઘણાં વિદેશી ટુરિસ્ટ આવતા હોવા છતાં આ વિષે બહુ ઓછી  માહિતી છે. સૌથી મોટી ચૂક તો છે કે આ બ્રિજ સુધી પહોંચવાનો ટ્રેક એટલો દુર્ગમ છે કે કોઈ કાચી પોચી હેલ્થ ધરાવનાર તો જવાનું વિચારી ન શકે. છતાં, ઘણાં આંધળુકિયા કરી બેસે છે. વિના કોઈ સજ્જતા આ ટ્રેક કરવો બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ ધરાવનાર માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

લગભગ પાંચસો વર્ષ પુરાણો માનતો આ બ્રિજ માત્ર અને માત્ર ઝાડની ડાળીઓ, મૂળ, થડ , ઝાંખરા ને વડવાઈથી આપમેળે બન્યો છે. મુખ્યત્વે બે જાતિના વૃક્ષોથી એક વડ ને બીજાં રબર ટ્રીઝ ,બાકી મોટી શિલાઓએ પણ આધાર બનવામાં ભૂમિકા ભજવી છે.હા, શક્ય છે વડવાઈઓ વાળવામાં કદાચ સ્થાનિક લોકોએ ભાગ ભજવ્યો હોય. આ સ્થાનિક લોકો એટલે મેઘાલયની એક જંગલપ્રેમી જાતિ ખાસી  .
 લગભગ 50 મીટર લાંબો , ને દોઢ ફૂટ પહોળો બ્રિજ લગભગ 500 માણસનું વજન ઝીલી શકે એટલો મજબૂત છે. જો કે આ વાત ત્યાંના લોકો કહે છે , એ વાતનું કોઈ પ્રમાણ નથી.

લિવિંગ રૂટ બ્રિજ એક પાસે છે , બીજો તેનાથી પણ દૂર. જોવાલાયક બ્રિજ એ જ છે. ડબલ ડેકર બ્રિજ. 
ટ્રેક લગભગ પાંચથી સાત કલાકનો છે. અલબત્ત, પહેલવાન જેવા લોકો માટે  . સામાન્ય તબિયત ધરાવનારે 7+ કલાક ગણવા  . બીજી મુખ્ય વાત નોર્થ ઈસ્ટ રાજ્યોમાં સાંજે ચાર વાગે દિવસ ઢળી જાય છે. એટલે ટ્રેક માટેનો સમય એ જ રીતે શિડ્યુલ કરવો જરૂરી છે. 

જો કે હવે જ્યાં બ્રિજ છે ત્યાં આદિવાસીઓ હોમસ્ટે આપતા થયા છે. પણ, એમની પહેલી પસંદગી વિદેશી હોય છે. ત્યાંના એક સ્થાનિકે કારણ જણાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો  . એમના કહેવા પ્રમાણે વિદેશીઓ ક્યારેય તેમના આવાસ જોઈને નાકનું ટીચકું ચઢાવતા નથી. ક્યારેય સ્પેશિયલ ફૂડની માંગ ન કરે. જે માંગો એ રકમ ચૂકવે, જે ખાવાનું આપો પ્રેમથી ખાય ને એમની સ્લીપિંગ બેગ ખોલીને પોઢી જાય , ને ઇન્ડિયન ટુરિસ્ટ ?
એ લોકોને એક એક વાતમાં વાંધો પડે. ખાવું , રહેવું  બધામાં ચીકાશ જ ચીકાશ  . અને સૌથી મોટું કારણ વિદેશીઓની ચોખ્ખાઈ , પોતાના ઘરની જેમ રહે. ક્યાંય ગંદકી ન કરે. ને ઇન્ડિયન ? પોતાના રોકાણની નિશાની તરીકે પ્લાસ્ટિકના રેપર્સ ,ખાલી બોટલ્સ બધું એમ જ છોડી દે. 

ખાસી કોમ સ્વચ્છતાની જબરી આગ્રહી છે. જે ગામમાં વીજળી ન હોય ત્યાં કચરાનું નામોનિશાન ન દેખાય  .
બસ, એ જ કારણે સ્થાનિક લોકોને ભારતીય ગમતા નથી.

રોકાણ તો કોઈ ઈરાદો હતો પણ નહીં એટલે અમે લંગડાતા પગે જેમતેમ કાર સુધી પહોંચ્યા તો ખરા. પણ, ત્યાં પહોંચતા સાથે જ પાણી લઇ લીધું અજાણ્યા ટ્રેક પર આમ ધસી ન જવું, કારણ કે શરીર તો એનો ધર્મ કરે જ ને , દિલનું તો કામ જ છે ન માનવાનું !! 



દિલ ચાહતા હૈ :
હમને ફૂલોં સે  ફેર લી નજર 
તુમ સે અચ્છે દિખાઈ દેતે થે 





Comments

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

ચલ જહાં મન કરે....