મુંબઈ મેરી જાન : બમ્બૈયા વારાણસીને ગ્રહણ લાગ્યું છે બેહાલીનું
ઇતિહાસ તો ઈ.સ પૂર્વે ત્રીજી સદી એટલે કે 2300 વર્ષ પૂર્વે આ ટાપુ પર સંસ્કૃતિ વિકસી હોવાનું લખે છે. |
રાજા ભીમદેવને યશકલગી પહેરાવાય છે મુંબઈમાં સભ્યતા સંસ્કૃતિ જનજીવન વિકસાવવા માટે પણ હકીકત તો એ છે કે ઇતિહાસ તો ઈ.સ પૂર્વે ત્રીજી સદી એટલે કે 2300 વર્ષ પૂર્વે આ ટાપુ પર સંસ્કૃતિ વિકસી હોવાનું લખે છે. સમય હતો સમ્રાટ અશોકનો, મૌર્ય સામ્રાજ્યનો. એ વખતે આ ટાપુઓ પર હિન્દૂ અને બૌદ્ધ સંસ્કૃતિ વિકસી હતી. ખાસ કરીને બૌદ્ધ ભિક્ષુઓ ધર્મપ્રચાર માટે ફરતા એટલે નિવાસ માટે જે વિહારનું નિર્માણ કરતાં તે માટેની મગધસમ્રાટ અશોકે આપી હતી તેના પુરાવા આજે પણ છે. જ
બોરીવલીની કાન્હેરી કેવ્સ , અંધેરીમાં મહાકાલી ગુફાઓ આજે પણ અડીખમ છે. જેની વાત ફરી કોઈવાર .
મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી આ ટાપુઓ સાતવાહન રાજનો ભાગ બની રહ્યા અને ત્યાં સોપારા બંદર (આજનું નાલા સોપારા)વિકસ્યું હતું તેવું મનાય છે. સોપારાથી સીધો વહાણવ્યવહાર રોમ સુધી ચાલતો હતો. આ વાત છે ઈ.સ પૂર્વેની . આ ઉલ્લેખ વિખ્યાત ટ્રાવેલર ટોલોમીએ કર્યો છે, હેપ્તનેશિયા તરીકે. એ પછી ટાપુઓએ બહુ ચડતી પડતી જોઈ. સતવાહનની પડતી પછી પશ્ચિમ મહારાષ્ટ્રના અભીર વિદર્ભના વક્તકાસ લોકોએ રાજ જમાવ્યું. પછી સમય આવ્યો કલાચૂરી શાસનનો. પાંચમી સદીમાં એ લોકો સર્વેસર્વા હતા આ નોંધનાર છે એક ગ્રીક વ્યાપારી કોસ્મોસ જેને જોગેશ્વરી ને કલ્યાણ વિષે પણ ભારે વિગતવાર લખ્યું છે.
આજે પણ દેશ વિદેશના ટુરિસ્ટનું આકર્ષણ છે તે એલિફન્ટાની ગુફા છઠ્ઠી સદીમાં નિર્માણ થઇ હશે એમ મનાય છે.
આ જ સમય હતો ખ્રિસ્તી ધર્મના પગપેસારાનો. બદામી( દક્ષિણ ભારત)ના ચાલુક્ય રાજાઓને હરાવીને કર્ણાટકના પુલકેશી રાજા દ્વિતીયે એ ઈ.સ 610માં આ ટાપુ કબ્જે કર્યા. એ પણ લાબું ન ચાલ્યું ને કોંકણના શિલહાર રાજવીઓએ સૌથી લાબું રાજ કર્યું એમ કહી શકાય. ઈ.સ 810થી લગભગ ઈ.સ 1260 સુધી .
ઈ.સ 1860ની આ તસ્વીર વાકલેશ્વર , બાણગંગામાં વસી ગયેલી વસ્તીનો પુરાવો આપે છે પણ જે યુગની આ વાત છે ત્યારે વાલકેશ્વર એક ઘનઘોર વનપ્રદેશ હતો. |
ખરી રસપ્રદ વાત હવે આવે છે , બાણગંગા તળાવ માટે લોકવાયકા રામનિર્મિત વાલ્કેશ્વર મંદિરની વાત કરે છે. એ પ્રમાણે તો રામ ભગવાને પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ બાણગંગા પર કર્યું હતું . આથી વધુ પુરાણી વાયકા છે પરશુરામજીની ,અલબત્ત એને તો કોઈ પ્રમાણ મળતું નથી માત્ર લોકવાયકા સ્વરૂપે જ આ બે કહાની કહેવાતી રહી છે. બીજી વાયકા એવી છે કે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયવિહીન કાર્ય પછી પરશુરામ મંદરાચલ પર્વત પર જઈને વસ્યા હતા.મંદરાચલ મહારાષ્ટ્રની દક્ષિણમાં આવેલો પર્વત હતો , ત્યાંથી છોડેલું બાણ એક તળાવનું નિર્માણ કરી ગયું એટલે નામ પડ્યું બાણગંગા, આ વાતની પૃષ્ટિ કરતુ પરશુરામનું મંદિર આજે પણ ત્યાં છે..
બીજી વાયકા રામ સાથે જોડાયેલી છે.
સીતાજીનું હરણ થયું ને એમની શોધમાં રામ લક્ષ્મણ ભટકી રહ્યા હતા, ત્યારે બંને આ વિસ્તારમાં પહોંચ્યા .રામનો નિયમ હતો શિવલિંગની પૂજા પછી જ અન્નજળ ગ્રહણ કરવાનો.બાણગંગાના કિનારે રામે રેતી એટલે કે વાલુમાંથી શિવલિંગ નિર્માણ કર્યું અને પૂજન કરી સ્થાપ્યું એટલે નામ પડ્યું વાલુકાઈશ્વર , અપભ્રંશ શબ્દ આવ્યો વાલકેશ્વર , એક બાજુ પરશુરામે બાણ ચલાવી તળાવ સર્જવાની કથા છે તો બીજી તરફ રામે પૂજા માટે મીઠા પાણીની વ્યવસ્થા કરવા બાણ માર્યું હતું , જેનાથી મીઠા પાણીને સરવાણી ફૂટી નીકળી ને સરોવર રચાયું .
મુંબઈ પાર લગભગ 400 વર્ષ શાસન કરનાર સિલ્હાર રાજાઓએ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું હતું , જેનો નાશ પોર્ટુગીઝ લોકો દ્વારા કરાયો હતો.
મંદિરનું નિર્માણ ફરીથી ઈ.સ 1715માં થયું છે. સૌથી મહત્વની વાત છે સરોવરના પાણીની. એમ મનાય છે કે ત્રેતાયુગમાં અસ્તિત્વમાં આવનાર આ તળાવમાં પાણી ક્યારેય ખૂટતું નથી. દસ ઇંચનો વ્યાસ ધરાવતા પાણીના સ્તોત્રમાંથી પાણી આવે જ રાખે છે અને બીજા છેડે થી સમુદ્રમાં ભળી જાય તેવી વ્યવસ્થા છે.
ઈ.સ બારમી સદીમાં નિર્માણ થયું છે એવી વાત ઇટાલિયન પ્રવાસી માર્કો પોલોએ નોંધી છે. શક્ય છે લોકવાયકા સાચી પણ હોય અને એ જગ્યાનો જીર્ણોદ્ધાર રાજવીએ કરાવ્યો હોય.
સમયની સાથે વસ્તીવધારા અને ગંદકીથી તળાવ મુક્ત રહી શક્યું નથી.ખાસ કરીને શ્રાદ્ધ ક્રિયા અને ધાર્મિક વિધિઓ પ્રદૂષિત થવા માટેનું મુખ્ય કારણ છે.
અલબત્ત, બાણગંગા સાફ કરવાનું અભિયાન ચાલતું જ રહે છે. જોવાની વાત તો એ છે કે આજે જ નહીં, સો વર્ષ પૂર્વે ઈ.સ 1882માં પણ આ તળાવના શુદ્ધિકરણની ઝુંબેશ ચલાવવી પડી હતી.
સ્થાનિક લોકોના પ્રયાસ ઉપરાંત હેરિટેજ કમિટીના પ્રયાસો આ હિસ્ટોરિકલ તળાવને બચાવવામાં સફળ રહ્યા છે. આશા રાખીએ ભવિષ્યમાં પણ સફળ રહે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો