મુસાફિર હું યારોં
દસ વર્ષમાં 173 સ્થળ ઇન્ડિયામાં ને 54 દેશ ઘૂમી વળનારને ટુરિસ્ટ કહેવાય કે ટ્રાવેલર ?
એટલે વાત કરવી છે એમના જુસ્સાની . પોતાની સાથે કરેલ કમિટમેન્ટને નિભાવવાની શક્તિ ભાગ્યે જ કોઈમાં હોય શકે.
એકદમ ટૂંકમાં કહેવું છે. આ સુનિલભાઈની સગાઇ થઇ નીલાબેન સાથે . ઉંમર હશે જે સામાન્યરીતે સગાઇ સમયે હોય , પણ જુઓ તો ખરા , એમને તો એમની વાગ્દત્તાને ત્યારે જ કહી દીધું હતું કે , લગ્ન કરીએ, સંસાર માંડીશું , પરિવાર હશે એ બધું ખરું પણ 50 વર્ષે જે કરતો હોઈશ નિવૃત્ત થઇ જઈશ , અને પછી ? ....
પછી માત્ર ફરીશું .
કોઈ માની શકે કે કોઈ આવી વાત કરે એ પણ સગાઇટાણે ને પછી બરાબર 50 વર્ષે ચારે તરફ ફેલાવેલા બિઝનેસને સંકેલીને માત્ર ફરવાનું કામ કરે ? કામ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ સુનિલભાઈના પ્રવાસ અને તેમની આઇટનરી જુઓ તો ટ્રાવેલ એજન્ટ કરતાં વધુ ઝીણવટથી પ્લાન થઇ હોય. (એક જોવા જેવું સ્થળ , પ્રખ્યાત ખાણીપીણી છૂટી ન જાય એવી તકેદારી સાથે . એ હું દાવા સાથે કહી શકું કારણકે મેં એમની સાથે પ્રવાસ કર્યો છે.) છેલ્લાં દસ વર્ષમાં ઇન્ડિયામાં કુલ 173 પ્રવાસ અને 54 વિદેશ પ્રવાસ . અલબત્ત, નાની મોટી ટ્રીપ
કાઢી નાખો તો 10 વર્ષના કુલ પ્રવાસ 99 અને નંબર 100 મંદાર મણિ , પશ્ચિમ બંગાળ , એ પણ એકલા કે સજોડે નહીં બલ્કે મિત્રમંડળ સહિત એની સંખ્યા કુલ 60 .
કાઢી નાખો તો 10 વર્ષના કુલ પ્રવાસ 99 અને નંબર 100 મંદાર મણિ , પશ્ચિમ બંગાળ , એ પણ એકલા કે સજોડે નહીં બલ્કે મિત્રમંડળ સહિત એની સંખ્યા કુલ 60 .
માત્ર એક ઉદાહરણ , એક પ્રવાસ ઉત્તરાખંડમાં માના વિલેજ, બદરીનાથ તો સહુ છે પણ ત્યયંથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ માના કોઈએ નામ સુધ્ધાં સાંભળ્યું ન હોય. આ માના વિલેજ માં બે ગુફા છે એક ગણેશ ગુફા અને એક વેદ વ્યાસ ગુફા , મનાય છે કે ગણેશજી અને વેદ વ્યાસજીની છે. તિબેટની સીમાને અડોઅડ , સરસ્વતી નદીનું ઉદગમસ્થાન પણ અને ભીમે બાંધેલો એક શિલાવાળો પુલ પણ છે . હવે બોલો આ માહિતી ક્યાં વાંચવા મળે ?
અલબત્ત , આ માણસ જે રીતે જે જગ્યાઓએ પહોંચી જાય છે એનાથી પ્રોત્સાહિત થઇને આપણે અનુકરણ કરવા જઈએ તો થઇ રહ્યું .
મને તો અનુભવ થઇ ચુક્યો છે. બે વર્ષ પહેલા હું અઠવાડિયા માટે ગૌહાટીમાં હતી. સુનિલભાઈ કહે , અરે આ બધું તો ઠીક પણ લાઈવ રુટ બ્રિજ જોઈ આવ્યા કે નહીં ?ચેરાપુંજી જતા પહેલા આ જગ્યા આવે છે.
અમે ટેક્સીવાળાને કહ્યું અમે આ લાઈવ રૂટ બ્રિજ જોવા જવું છે. દિવસોથી સાથે હતો એટલે ડ્રાઈવરભાઈ થોડા ભળી ગયેલો. એ અમારો ચહેરો તાકી રહ્યો . ખબર છે એ ક્યાં છે?
પ્રવાસીની ડાયરી , દસ વર્ષમાં ઇન્ડિયામાં 173 સ્થળ અને 54 વિદેશના પ્રવાસો |
પણ, ના. અમે તો ટસથી મસ ન થયા. અમારાથી મોટા સુનિલભાઈ એન્ડ કંપની જો આ જગ્યા એ પહોંચી શકે તો અમે તો એમનાથી કેટલા નાના , અમને શું થાય ? ને પાંચ કિલોમીટર ? હડડ , અમે તો વૈષ્ણોદેવી યાત્રા ચાલીને કરીએ તો આ તો શું ચીજ છે અને કોઈની ધર્યા વિના અમે ઉતારવા માંડ્યું , સાંકડી પગદંડી ,એક જ વ્યક્તિ ચાલી શકે એવા સળંગ પગથિયાં , સીધા સીધા ઉતરતાં જ જાય. આરો નહીં, ઓવારો નહીં, અંત જ ન આવે.સુનિલભાઈની વાત સાચી હતી કે રુટ બ્રિજ વિશ્વમાં એક જ અનોખો અજોડ છે. પણ , ઉતરતાં ઉતરતાં ભગવાન યાદ આવ્યા, પુલ ખરેખર વન ઓફ આ કાઈન્ડ , ને પછી જોઈને ચાલુ થયું ઉપર આવવા ચઢાણ શરુ કર્યું . મા , ભગવાન સિવાય કોઈ યાદ ન આવે. રસ્તામાં ન કોઈ પાણીનો પ્યાલો મળે તો ઠંડુ પીણું તો વિચારી પણ ન શકાય , ચારે કોર જંગલ . ફોટોગ્રાફમાં તો એવું રમણીય લાગે ને અત્યારે યાદ કરવાથી સારું તો લાગે છે , યાદગાર ... પણ ત્યારે ?
આ પ્રવાસોની નોંધ લેવી એટલે ગમે કારણ છે તેમને પસંદ કરેલા પ્રવાસસ્થળ અને તેની સાથે જોડાયેલી નાની નાની , મોટી રસપ્રદ વાતોની ઝીણવટભરી નોંધ.
મને એવું લાગે છે કે કોઈ તંત્રીએ એમની પાસે ગન પોઇન્ટ પર પ્રવાસવર્ણન લખાવવા જોઈએ. અને હા, એક વાતની ગેરંટી કે જો એ લખે તો ગુજરાતીમાં કે લોન્લી પ્લેનેટ જેવી દળદાર માહિતી જેવી શ્રેણી તો જરૂર મળે.
અરે હા, પણ સુનિલભાઈની અલગારી રખડપટ્ટીમાં સૌથી શાબાશીના ખરા હકદાર એમના અર્ધાંગિની એવા નીલા મહેતા , દર મહિનો પૂરો થયો નથી ને બેગ પેક કરવાની , અનપેક કરવાની , મેઈન તો કામ સફર દરમિયાન ભેગા થયેલા ધોબીઘાટને મેનેજ કરવાનો , ઘરનું ધ્યાન રાખવાનું ને વળી દાદાદાદીની ડ્યુટી બજાવવા છ મહિના અમેરિકા વસવાટ કરવાનું .
બીજું કોઈ હોય તો કહે કે ખમૈયા કરો ભૈશાબ , પણ , ના .. કદાચ એટલે જ સુનિલભાઈ કહે છે કે બીવી હો તો નીલા જૈસી હો , યા ના હો. જો કે આ વાત થોડી રમૂજભરી છે પણ નીલાબેનની ધીરજ અને હિંમતને પણ સલામ તો કરવી જ પડે ને !
અરે હા, પણ સુનિલભાઈની અલગારી રખડપટ્ટીમાં સૌથી શાબાશીના ખરા હકદાર એમના અર્ધાંગિની એવા નીલા મહેતા , દર મહિનો પૂરો થયો નથી ને બેગ પેક કરવાની , અનપેક કરવાની , મેઈન તો કામ સફર દરમિયાન ભેગા થયેલા ધોબીઘાટને મેનેજ કરવાનો , ઘરનું ધ્યાન રાખવાનું ને વળી દાદાદાદીની ડ્યુટી બજાવવા છ મહિના અમેરિકા વસવાટ કરવાનું .
બીજું કોઈ હોય તો કહે કે ખમૈયા કરો ભૈશાબ , પણ , ના .. કદાચ એટલે જ સુનિલભાઈ કહે છે કે બીવી હો તો નીલા જૈસી હો , યા ના હો. જો કે આ વાત થોડી રમૂજભરી છે પણ નીલાબેનની ધીરજ અને હિંમતને પણ સલામ તો કરવી જ પડે ને !
એવા રસિકજનની પાર્ટી પણ થીમ પાર્ટી જ હોય ને , હમણાં તો એમાં મ્હાલી આવીએ પછી મળીએ એક બ્રેક કે બાદ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો